મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીની આર્ટ્સ કોલેજમાં એન.એસ.એસ. ડે ની ઉજવણી કરાઇ


SHARE











મોરબીની આર્ટ્સ કોલેજમાં એન.એસ.એસ. ડે ની ઉજવણી કરાઇ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી શ્રી યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં એન.એસ.એસ. ડે ની ઉજવણી કરવામાં આવેલ હતી ત્યારે પ્રિન્સિપાલસ્ટાફ તથા વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને રાષ્ટ્રીય ભાવના ઉજાગર થાય તે ઉદ્દેશથી કોલેજના એન.એસ.એસ. વિભાગ દ્વારા આ કાર્યક્ર્મ યોજવામાં આવેલ હતો

આ કાર્યક્રમમાં એન. એસ. એસ. પ્રવૃત્તિનો ઉદ્ભવવિકાસ અને તેનું રાષ્ટ્ર ઘડતરમાં અને વ્યક્તિત્વ ઘડતરમાં યોગદાન અંગે સંબોધનો કરી વિદ્યાર્થીઓને પ્રેરિત કરવામાં આવેલ હતા રાષ્ટ્રના ઘડતરમાંવ્યક્તિના ઘડતરમાંસામાજિક જાગૃતિ તથા વિકાસ માટે એન.એસ.એસ. વિભાગ વર્ષોથી ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ભારતભરમાં મહત્વનું યોગદાન આપી રહ્યો છે. આ પ્રકારની પ્રવૃત્તિ કોલેજના સ્થાપના કાળથી આજ દિન સુધી એન.એસ.એસ. વિભાગ દ્વારા સતત ધબકતી રહી છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા પણ જુદી જુદી કૃતિઓ રજૂ કરી રાષ્ટ્ર ભાવનાસ્વચ્છતાસંસ્કૃતિ જાણવણી સંદર્ભની પ્રસ્તુતિ કરવામાં આવેલ હતી. કોલેજના વિદ્યાર્થી અને એન.એસ.એસ.ના સ્વયંસેવક એવાં શીતલ પરમારકોમલ સવાડીયામુકેશ મકવાણાદર્શન વસોયામલેક મકબુલ હુસેનએ પોતાની કૃતિઓ રજૂ કરેલ હતી અને છેલ્લા ઘણા વર્ષો સુધી આ કોલેજમાં જેમણે એન.એસ.એસ. વિભાગ સંભાળેલ તેવા ડો. એલ. એમ. કંજારિયાએ એન.એસ.એસ. અંગે વિસ્તૃત માહિતી આપેલ હતી અને અંતમાં કોલેજના પ્રોફેસર કે.આર. દંગીએ આભાર વ્યકત કર્યો હતો અને કાર્યક્રમનું સંચાલન એન.એસ. એસ. ઓફિસર ડો. આર.કે. વારોતરીયાએ કરેલ હતું






Latest News