મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી નજીક થયેલ લૂંટના ગુનામાં પકડાયેલા બે આરોપીના રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે, સગીરને બાળ સુધારણ ગૃહમાં મૂકયો


SHARE











મોરબી નજીક થયેલ લૂંટના ગુનામાં પકડાયેલા બે આરોપીના રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે, સગીરને બાળ સુધારણ ગૃહમાં મૂકયો

મોરબીના ટિંબડી ગામ નજીક પેટ્રોલ પંપમાંથી લૂંટ કરવામાં આવી હતી જે બનાવમાં પકડાયેલ બે આરોપીની સાથે જ ત્યાં કામ કરતો સગીર પણ સંડોવાયેલ હોવાનુ જે તે સમયે સામે આવ્યું હતું અને પોલીસે પકડાયેલા બે આરોપીને કોર્ટમાં રજૂ કરીને કોર્ટમાંથી તેને રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં આરોપીને કોર્ટ હવાલે કરીને જેલ હવાલે કરેલ છે અને પંપમાં કામ કરતાં કર્મચારને હાલમાં બાળ સુધારણા ગૃહ ખાતે મૂકવામાં આવેલ છે તેવી માહિતી પોલીસ પાસેથી જાણવા મળેલ છે

મોરબીમાં આવેલ અવની ચોકડી પાસે જય અંબેનગરમાં અંજનીપુત્ર એપાર્ટમેન્ટમાં રહેતા રોહીતભાઈ દુર્લભજીભાઈ છનિયારા (૨૭)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લૂંટની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ૪૮,૦૦૦ ની લૂંટના ગુનામાં આરોપી નરેન્દ્રસિંહ દિલીપસિંગ રાવત (૨૨) અને ઠાકૂરસિંગ ભૈરવસિંગ રાવત (૨૪) રહે. બંને રાજસ્થાન વાળાની ધરપકડ કરી હતી અને જે શિવાનંદ પેટ્રોલ પંપ ખાતે લૂંટ કરવામાં આવી હતી ત્યાં પેટ્રોલ પંપ ઉપર કામ કરનાર સગીર પણ આરોપીઓ સાથે સંડોવાયેલ હોવાનુ સામે આવ્યું હતું જેથી તેને બાળ સુધારણા ગૃહમાં મૂકવામાં આવેલ છે અને બે આરોપી નરેન્દ્રસિંહ દિલીપસિંગ રાવત અને ઠાકૂરસિંગ ભૈરવસિંગ રાવત પાસેથી લૂંટમાં ગયેલ રોકડ સહિત કુલ મળીને ૧,૨૩,૬૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને આ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ હતા જે રિમાન્ડ પૂરા થતાં આરોપીઓને ફરી કોરટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરેલ છે અને આ ગુનામાં હજુ માસ્ટર માઇન્ડ નવદીપ ઉર્ફે નિરૂ રાવત નામના શખ્સને પકડવાનો બાકી છે






Latest News