વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

માળીયા (મી) મોટ દહીસરા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનનું મોત 


SHARE











માળીયા (મી) મોટ દહીસરા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનનું મોત 

મોરબી જિલ્લાના નવલખી હાઇવે ઉપર મોટા દહીંસરા ગામ પાસેના રેલ્વે ફાટક નજીકથી ટ્રક ચાલકે પગપાળા ચાલીને પસાર થઈ રહેલા યુવાનને હડફેટે લીધો હતો જેથી તે યુવાનને ગંભીર ઈજા થઈ હોવાથી તેને પ્રાથમિક સારવાર મોરબીમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જોકે, રાજકોટ ખાતે સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી મૃતક યુવાનના ભાઈ દ્વારા હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા તાલુકાના વવાણિયા ગામે રહેતા જાવેદભાઈ ઇસ્માઈલભાઈ ભટ્ટી જાતે વાઘેર (૨૮)એ હાલમાં ટ્રક નંબર જીજે ૫ બીડબલ્યુ ૨૪૯૩ ના ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે નવલખી હાઇવે રોડ ઉપર આવેલ મોટા દહીસરા પાસેના રેલવે ફાટક નજીકથી તેનો ભાઈ જાફર ઈસ્માઈલભાઈ ભટ્ટી (૩૫) પગપાળા ચાલીને રેલ્વે ટ્રેક પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને ટ્રક ચાલકે હડફેટે લેતા જાફરભાઈને સાથળ, ગુપ્તાંગ અને પગના ભાગે ઇજાઓ થઈ હતી જેથી કરીને ઈજા પામેલ હાલતમાં તેને સારવાર માટે તાત્કાલિક પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને અકસ્માત મૃત્યુના બનાવમાં મૃતક યુવાનના ભાઈ દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. મૃતક જાફરભાઈ ઇસ્માઈલભાઈ ભટ્ટી છૂટક મજૂરી કામ કરતા હતા અને તે મજૂરી કામ કરી પરત ઘર તરફ જવા નીકળ્યા હતા ત્યારે રસ્તામાં ઉપરોકત ગોજારો બનાવ બન્યો હતો જેના પગલે તેમના બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.






Latest News