મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના રણછોડનગર પાસે નિધિ પાર્કમાં વરસાદી પાણી-ગંદકીથી લોકો હેરાન


SHARE







મોરબીના રણછોડનગર પાસે નિધિ પાર્કમાં વરસાદી પાણી-ગંદકીથી લોકો હેરાન

મોરબીના રણછોડનગર વિસ્તાર પાસે આવેલ નિધિ પાર્કમાં છેલ્લા ચાર વર્ષથી વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા છે અને જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે તેના નિકાલ માટે થઈને સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓથી લઈને પાલિકા સુધી અવારનવાર સ્થાનિક લોકોએ રજૂઆત કરી છે તેમ છતાં પણ વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ થાય તે માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી માટે નિધી પાર્કમાં રહેતા લોકોને હેરાન છે વધુમાં સ્થાનિક લોકો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ગત મોહરમના પર્વ દરમિયાન પણ તે વિસ્તારમાં રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા જેથી કરીને ગંદકી વચ્ચે લોકોને પસાર થવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે લોકોને જાત મહેનત જિંદાબાદ કરીને તે પાણીને હટાવવા માટે થઈને પ્રયત્ન કર્યા હતા જો કે, આ વિસ્તારમાં વરસાદના ચાર છાંટા પડતાની સાથે જ વરસાદી પાણી ભરાઈ જાય છે અને ગંદકીના કારણે લોકોને પોતાના ઘર પાસે બેસવું પણ મુશ્કેલ બની જાય છે ત્યારે લોકોની સમસ્યાને કાયમી ધોરણે ઉકેલવામાં આવે તેવી માંગ ઉઠી છે






Latest News