તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

બનાસકાંઠા જિલ્લાના વૃદ્ધને કારમાં બેઠા વાંકાનેરના કેરાળા નજીક હાર્ટ એટેક આવતા મોત


SHARE











બનાસકાંઠા જિલ્લાના વૃદ્ધને કારમાં બેઠા વાંકાનેરના કેરાળા નજીક હાર્ટ એટેક આવતા મોત

બનાસકાંઠા જિલ્લાના ભાભોરના રહેવાસી વૃદ્ધ કારમાં માટેલથી ચોટીલા જતા હતા ત્યારે કેરાળા ગામના બોર્ડ પાસે તેઓને હાર્ટ એટેક આવી જતા તેને તાત્કાલિક વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના ભાભોરના રહેવાસી રાજેશભાઈ ધીરજલાલ ઠક્કર (૫૬) નામના વૃદ્ધ કારમાં બેસીને માટેલથી ચોટીલા તરફ જવાના રસ્તા ઉપર કેરાળા ગામના બોર્ડ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેને હાર્ટ અટેક આવતા તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને તેને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના વનરાજસિંહ અભેસિંહ ઝાલા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના સનાળા ગામ પાસે શક્તિ માતાજીના મંદિરથી આગળના ભાગમાં બાઈક લઈને મોરબીની દલવાડી ચોકડી પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના બિલ્ડીંગ નંબર-૩, બી-૩ માં રહેતા ભાવેશભાઈ રમણીકભાઈ રાઠોડ જાતે અનુ. જાતિ (૪૫) જઈ રહ્યા હતા ત્યારે હુન્ડાઈ કાર નંબર જીજે ૩૬ એલ ૮૫૯૩ ના ચાલકે તેના બાઈકનું ઓવરટેક કર્યો હતો અને તુરંત જ આગળ જઈને કારને અચાનક બ્રેક મારી હતી અને કોઈ પણ પ્રકારનો સિગ્નલ આપ્યા વગર ડાબી બાજુ કારને વાળી લેતા ફરિયાદીનું બાઈક કારની પાછળના ભાગે અથડાયુ હતું અને અકસ્માતનો બનવા બનેલ હતો જેમાં ફરિયાદીને ડાબા હાથની કોણી અને પંજામાં ફ્રેક્ચર જેવી ઈજા થઈ છે જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવેલ છે અને સારવાર લીધા બાદ હાલમાં તેણે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુના નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.પી. ઝાલા ચલવી રહ્યા છે






Latest News