મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

દયાનંદ માજી સૈનિક પરીવાર ટંકારા દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણી કરાઇ


SHARE











દયાનંદ માજી સૈનિક પરીવાર ટંકારા દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણી કરાઇ

૨૬ જુલાઈના રોજ કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ટંકારા તાલુકાના શ્રી દયાનંદ માજી સૈનિક સંગઠન દ્વારા મિતાણા ગામે આર્ય પેલેસ હોટેલ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દેશની એકતા, અખંડિતતા, સમરસતા જેવા વિષય થકી પરિવાર, સામાજીક તથા રાષ્ટ્રિય  મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી અને યુવાનોને દેઝદાઝ પ્રજ્વલિત કરવા જ્યોત ઝલાવી હતી આ કાર્યક્રમની અંતે ભારત માતા અને વંદે માતરમના ગગનભેદી નારા પાનાં લગાવ્યા હતા આ તકે મોરબી માર્કેટ યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગિયા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ પ્રભુભાઈ કામરીયા, કારોબારી ચેરમેન અરવિંદભાઇ દુબરીયા, ટંકારા નાયબ મામલતદાર કે.ડી. બુશા, ટંકારા ભાજપ સંગઠનના પ્રમુખ કિરીટ અંદરપા, ઉપપ્રમુખ ગણેશભાઈ પટેલ, મહામંત્રી રૂપસિંહ ઝાલા, યુવાનેતા એડવોકેટ સંજય ભાગિયા, હસુભાઈ દુબરીયા સહિતના લોકો હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે માજી સૈનિક ગુર્પના પ્રમુખ ચેતનભાઈ પટેલ, ઉપપ્રમુખ ખોડાભાઈ ઝાપડા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી






Latest News