મોરબી નજીકથી સર્પાકાર ટ્રક ચલાવનાર શખ્સની જિલ્લા ટ્રાફિક પોલીસે કરી અટકાયત
મોરબીમાં ચારિત્રની શંકા-કરિયાવર બાબતે પરણીતાને ત્રાસ: પતિ-સાસુ સામે ફરિયાદ
SHARE
મોરબીમાં ચારિત્રની શંકા-કરિયાવર બાબતે પરણીતાને ત્રાસ: પતિ-સાસુ સામે ફરિયાદ
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદાર બાગની પાછળના ભાગમાં ન્યુ આદર્શ સોસાયટીમાં રહેતી પરીણાના ચારિત્ર ઉપર શંકા કરીને તેમજ તારા બાપે કરિયાવરમાં કંઈ આપ્યું નથી તેવું કહીને પરિણીતાને ત્રાસ આપવામાં આવતો હતો અને તેની સાથે મારકૂટ કરવામાં આવતી હતી જેથી કરીને ભોગ બનેલ પરિણીતા દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પતિ અને સાસુ સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી મુજબ હાલમાં મોરબીના રવાપર રોડ ઉપર આવેલ આલાપાર્ક શેરી નં-૩ માં આવેલ બજરંગ કૃપામાં રહેતા શ્રદ્ધાબેન નીરવભાઈ રાજપરા જાતે પટેલ (૩૨)એ તેના પતિ નિરવભાઈ વલ્લભભાઈ રાજપરા અને સાસુ વનીતાબેન વલ્લભભાઈ રાજપરા રહે. બંને ન્યુ આદર્શ સોસાયટી સરદાર બાગ પાછળ સનાળા રોડ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, અવારનવાર નાની નાની બાબતોમાં અને ઘરકામ બાબતે હેરાન પરેશાન કરીને મારકૂટ કરતા હતા તેમજ તેના સાસુ એવું કહેતા હતા કે “તું કરિયાવર લાવી નથી તારા બાપે કાંઈ આપ્યું નથી” તેમજ તેના ચરિત્ર ઉપર શંકા કરીને ગાળો આપતા હતા અને મેણાંટોણાં મારીને શરરિક તેમજ માનસિક ત્રાસ આપતા હતા તેમજ ફરિયાદીના પતિની ખોટી ચડામણી કરતાં હોવાથી બંને વચ્ચે માથાકૂટ થતી હતી જેથી મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઈપીસી કલમ ૪૯૮(ક), ૩૨૩, ૫૦૪, ૧૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે