મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના અગરિયાઓએ ધારાસભ્યોને સાથે રાખીને મુખ્યમંત્રી-મંત્રીની કરી રજૂઆત


SHARE











મોરબી જિલ્લાના અગરિયાઓએ ધારાસભ્યોને સાથે રાખીને મુખ્યમંત્રી-મંત્રીની કરી રજૂઆત

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં મીઠાની ખેતી કરીને અગરીયાઓ દ્વારા તેના પરિવારનું ગુજરાન  ચલાવવામાં આવે છે ત્યારે તેની રોજીરોટી છીનવાઇ તેવી શ્કાયતા છે જેથી કરીને સુરેન્દ્રનગર, પાટણ, મોરબી અને કચ્છ જિલ્લાના અગરિયાઓએ ધારાસભ્યોને સાથે રાખીને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શ્રમ મંત્રી મૂળુભાઈ બેરાને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે અગરિયા હિત રક્ષક સંઘના આગેવાનોએ જણાવ્યુ હતું કે, સેટલમેન્ટ પ્રક્રિયામાં રહેલી ખામીના કારણે ૫૦ વર્ષ બાદ પણ મીઠું પકવતા અગરિયાઓને રણમાં જઈને ૮ માસ માટે મીઠું પકવી આજીવિકા મેળવવાના અધિકારો સુનિશ્ચિત થયા નથી. તેથી ના છુકટેક અગરિયાઓને ગેરકાયદેસરના દુષણનો ભોગ બનવું પડી રહ્યું છે. હાલમાં માળિયા, હળવદ, ધ્રાંગધ્રા, સાંતલપુર, અને પાટડી તાલુકાના ૬૦ જેટલા અગરિયાઓએ તેઓના ધારાસભ્ય પી.કે. પરમાર, મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને લવિંગજીભાઈને સાથે રાખીને રણમાં જઈને મીઠું પકવવાના અધિકારને કાયમી માન્યતા મળે તે માટે રજુઆત કરેલ છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હકારાત્મક નિર્ણય લેવા ખાતરી આપેલ છે






Latest News