મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરમાં કાલે નવનિયુક્ત સાંસદ રાજવી કેસરીદેવસિંહ ઝાલાને વધાવવા કાલેભવ્ય સરઘસ નીકળશે


SHARE











વાંકાનેરમાં કાલે નવનિયુક્ત સાંસદ રાજવી કેસરીદેવસિંહ ઝાલાને વધાવવા કાલેભવ્ય સરઘસ નીકળશે

રાજ્યસભામાં વાંકાનેર રાજવી પરિવારના કેશરીદેવસિંહ ઝાલાની નિમણુક થતાં તેમના સન્માન તથા સ્વાગત માટેના આયોજન કરવામાં આવેલ છે અને તેના માટે ગઇકાલે વાંકાનેરમાં ગરાસિયા બોર્ડિંગ ભાજપ કાર્યાલય વાંકાનેર ખાતે ક્ષત્રિય સમાજ, વિવિધ સમાજ , વિવિધ વેપારી એસોસિયેશન , જિલ્લા ભાજપ પ્રમુખ, મહામંત્રીઓ , વાંકાનેર શહેર તાલુકાના પ્રમુખ , મહામંત્રી વિવિધ સમાજના આગેવાનોની મીટીંગ મળી હતી જેમાં જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા, મોરબી રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા, નિકુંજભાઈ કોટક સહિતના ભાજપના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને ત્યારે સાંસદ રાજવીને વધાવવા આયોજન કરવામાં આવ્યું હતું કાલે સવારે ચોટીલા ટોલ પ્લાઝા ખાતેથી સ્વાગત કરી વિજય સરઘસની શરૂઆત થશે જે વાંકાનેર શહેર ખાતે પહોંચી શહેરના રાજમાર્ગો પર ફરી અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ પાસે પૂર્ણ થશે જ્યા વિશાળ સભા યોજાશે. અને શહેરમાં સરઘસનો રૂટ જીનપરા જકાતનાકાથી શરૂ કરી લીમડા ચોક , ગ્રીન ચોક , મેઇન બજાર, ચાવડી ચોક થઈ માર્કેટ ચોકમાથી પસાર થઈ અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ સુધી જશે. સ્ટેચ્યુ ખાતે સભા યોજાશે જ્યા સાંસદ તરીકે નિમણુક પામેલ રાજવી કેશરીદેવસિહ ઝાલાનું વિવિધ સંગઠન, વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ હોદેદારો તેમજ સંતો મહંતો દ્વારા સન્માન કરવામાં આવશે તેમ કાર્યાલયના સૂત્રોએ જણાવ્યું હતું.






Latest News