મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ મોરબીમાં સિવિલમાં વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઇ હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને માર મારીને આધેડને હત્યા: હવે સામસામે ફરિયાદ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સુલતાનપુર ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને સામસામી મારામારી બાદ સામસામી ફરિયાદ


SHARE











માળીયા (મી)ના સુલતાનપુર ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને સામસામી મારામારી બાદ સામસામી ફરિયાદ

માળીયા મીયાણા તાલુકાના સુલતાનપુર ગામે અગાઉ થયેલ બોલાચાલી અને ઝઘડાનો ખાર રાખીને સામસામે મારામારીનો બનાવ બન્યો હતો અને જે બનાવમાં ઇજા પામેલા ચાર વ્યક્તિઓને સારવાર માટે લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ બંને પક્ષેથી માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સામસામી બે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને હાલમાં એક ગુનામાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જોકે, વળતી ફરિયાદમાં ત્રણ આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

માળીયા મીયાણા તાલુકાના સુલતાનપુર ગામે રહેતા લાભુભાઈ હલુભાઈ દેગામા જાતે કોળી (૪૨)એ હાલમાં સુનિલભાઈ વિનોદભાઈ સીતાપરા, અનિલભાઈ વિનોદભાઈ સીતાપરા, અનિલભાઈ દશરથભાઈ સીતાપરા અને શૈલેષભાઈ નાથાભાઈ સીતાપરા સામે માળિયા તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, અગાઉ થયેલ ઝઘડો અને બોલાચાલીનો ખાર રાખીને આરોપીઓ તેના ઘર પાસે આવ્યા હતા અને ત્યારે ફરિયાદીને ગાળો આપતા હોય ગાળો આપવાની ના પાડતા આરોપીઓ તેના હાથમાં રહેલ પાઇપ અને લાકડાના ધોકા વડે તેના દીકરા સુનિલને માર માર્યો હતો તેમજ ફરિયાદીને પણ પાઇપ વડે માર માર્યો હતો અને તારા દીકરાને બહુ હવા છે તેવું કહીને પાઇપ ધોકા તેમજ ઢીકા પાટુનો માર માર્યો હતો જેથી કરીને લાભુભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને ચારેય આરોપીને ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી હતી

જ્યારે મારામારીના આ બનાવમાં સામા પક્ષેથી સુનિલભાઈ વિનોદભાઈ સીતાપરા જાતે કોળી (૨૩) એ સુનિલભાઈ લાભુભાઈ દેગામા, રાજેશભાઈ ચંદુભાઈ દેગામા અને લાભુભાઈ હલુભાઈ દેગામા રહે ત્રણેય સુલતાનપુર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, બે દિવસ પહેલા બોલાચાલી થઈ હતી જે બાબતનો ખાર રાખીને ત્રણે આરોપીઓએ ફરિયાદીની દુકાન પાસે આવી ફરિયાદી સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો અને ગાળો બોલવા લાગ્યા હતા ત્યારે ગાળો બોલવાની ના પાડતા સુનિલ દેગામાએ હાથમાં રહેલ લાકડાના ધોકા વડે ફરિયાદીને માથામાં માર માર્યો હતો તથા સાહેદ અનિલ દશરથ સીતાપરાને પણ લાકડાના ધોકા વડે માર મારીને જમણા હાથની આંગળીમાં ઇજા કરી હતી અને શરીરને નાના મોટી ઈજા કરેલ છે જેથી સુનીલ સીતાપરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News