મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના હરિપર (કે) ગામે કેન્સરની બીમારીથી કંટાળીને આધેડે અંતિમ પગલું ભર્યું


SHARE











મોરબીના હરિપર (કે) ગામે કેન્સરની બીમારીથી કંટાળીને આધેડે અંતિમ પગલું ભર્યું

મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામની સીમમાં આવેલ વાડીએ ગળાફાંસો ખાઈને આધેડે આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મૃતકના ભાઈ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામની સીમમાં આવેલ રમેશભાઈની વાડીએ મીતેશભાઇ સવજીભાઈ વીરપરિયા (૫૧) નામના આધેડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને મૃતક આધેડને તેના ભાઈ નિલેશભાઈ મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં આ બનાવની તપાસ કરી રહેલા જસપાલસિંહ જાડેજા પાસેથી મળતી માહિતી મુજબ મૃતક આધેડને કેન્સરની બીમારી હતી જે બીમારીથી કંટાળીને તેને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબી માળિયા હાઇવે ઉપર ટિંબડી ગામના પાટીયા પાસે શિવ કૃપા આઈ માતા હોટલ નજીકથી કાંતિલાલ રતિલાલ નકુમ પોતાનું બાઈક નંબર જીજે ૨૪ એએલ ૭૩૧૦ લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ટ્રેઇલર નંબર આરજે ૦૭ જીબી ૫૯૦૭ ના ચાલકે બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં કાંતિલાલને માથા, કપાળ અને ડાબી આંખ ઉપર તેમજ હાથ-પગમાં ઇજાઓ થઈ હતી જેથી કરીને તેને સારવારમાં લઈને અવાયા હતા અને ત્યાર બાદ ઇજાગ્રસ્ત વ્યક્તિના મિત્ર ધીરજભાઈ ત્રીકમભાઈ સોલંકી (૨૭) રહે. જેતપર રોડ મનીષ કાંટા પાસે પીપળી વાળાએ ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News