​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

હળવદના દિઘડિયા ગામે ખેતરમાં સિચાઈ માટે પાણી લેવા મુદે ઝઘડામાં ભાઈની બે સગા ભાઈઓએ કરી હત્યા


SHARE













હળવદના દિઘડિયા ગામે ખેતરમાં સિચાઈ માટે પાણી લેવા મુદે ઝઘડામાં ભાઈની બે સગા ભાઈઓએ કરી હત્યા

હરેશભાઈ પરમારા દ્વારા, હળવદના દિઘડીયા ગામે સીમમાં વાડીએ રહેતા ત્રણ સગા ભાઇઓ વચ્ચે જમીનમાં સિચાઈ માટેનું પાણી લેવા બાબતે બોલાચાલી થઇ હતી જેમાં બે ભાઈઓએ એક સંપ કરીને તેના સગા ભાઈને ધારીયા અને છરીના ઘા ઝીકયા હતા જેથી તેનું મોત નીપજયું હતું અને તે યુવાનની પત્ની  અને સંતાનને પણ ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવેલ છે અને હાલમાં હળવદ પોલીસ દ્વારા ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદના દિઘડીયા ગામની સીમમાં રહેતા મુકેશભાઈ કુકાભાઈ સારલા (૩૫) તેમના પરિવાર સાથે ઘરે હતા ત્યારે તેના બે સગાભાઈ રઘાભાઈ કુકાભાઈ સારલા અને મુન્નાભાઈ કુકાભાઈ સારલાએ બોલાચાલી કરીને મુકેશભાઈ ઉપર છરી અને ધારીયા વડે હુમલો કર્યો હતો જેથી ઇજાઓ થવાથી મુકેશભાઈનું મોત નીપજ્યું હતું અને આ ઘટનામાં તેના પત્ની દક્ષાબેનને અને બાર વર્ષના દીકરાને પણ ઈજા થઈ હતી જેથી તે બંનેને સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવેલ છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રઘાભાઈમુકેશભાઈ અને મુન્નાભાઈ ત્રણ સગાભાઇ છે અને તેઓની વડીલોપાર્જિત ૧૫ વીઘા જમીનમાંથી ત્રણેય ભાઈઓને પાંચ પાંચ વીઘા જમીન ભાગમાં આવેલ છે જો કે, વીજ કનેક્શન એક જ હોવાથી મોટરથી પાણી લેવા બાબતે બોલાચાલી થઈ હતી. અને બાદમાં બે સગાભાઈઓએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો જેમાં મુકેશભાઇનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો અને આ બનાવમાં મૃતકના પત્ની દક્ષાબેનની ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરવામાં આવેલ છે 






Latest News