મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી સીરામીક એસો.ના હોદેદારો મુખ્યમંત્રી-મંત્રીઓને શુભકામના પાઠવવા ગાંધીનગર પહોચ્યા


SHARE













મોરબી સીરામીક એસો.ના હોદેદારો મુખ્યમંત્રી-મંત્રીઓને શુભકામના પાઠવવા ગાંધીનગર પહોચ્યા

તાજેતરમાં ગુજરાત રાજ્યની અંદર મુખ્યમંત્રી અને મંત્રી મંડળમાં ફેરફાર કરવામાં આવ્યા બાદ નવા મુખ્યમંત્રી અને મંત્રીઓએ પોતાનો પદભાર સંભાળ્યો છે ત્યારે મોરબી સિરામિક એસોસિએશનના હોદ્દેદારો અને સિરામિક ઉદ્યોગકારો મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ રૂબરૂ શુભેચ્છા પાઠવવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેબિનેટ મંત્રી હર્ષભાઈ સંઘવીરાઘવજીભાઈ પટેલ, જીતુભાઈ વાઘાણી, રાજેન્દ્રભાઈ ત્રિવેદી તેમજ અરવિંદભાઈ રૈયાણી બ્રિજેશભાઈ મેરજા સહિતનાઓને રૂબરૂ મળીને મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરીયા, કિરીટભાઈ ઓગણજા, મુકેશભાઈ કુંડારીયા અને વિનોદભાઈ ભાડજા તેમજ માજી પ્રમુખ મુકેશભાઇ ઉઘરેજામાજી પ્રમુખ કિશોરભાઈ ભાલોડીયા, અનિલભાઈ વડાવિયા, મનોજભાઇ પટેલ, નિલેષભાઈ રાણસરિયા, સતિષભાઇ બોપલિયા સહિતનાએ શુભકામનાઓ પાઠવી હતી આ તકે મોરબી જિલ્લા ભાજપના માજી મહામંત્રી હિરેનભાઇ પારેખ તેમજ મોરબી બિલ્ડર એસો.ના ઉપપ્રમુખ રૂચિરભાઈ કરિયા પણ તેઓની સાથે જોડાયા હતા






Latest News