ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

હળવદના દિઘડિયા ગામે ખેતરમાં સિચાઈ માટે પાણી લેવા મુદે ઝઘડામાં ભાઈની બે સગા ભાઈઓએ કરી હત્યા


SHARE











હળવદના દિઘડિયા ગામે ખેતરમાં સિચાઈ માટે પાણી લેવા મુદે ઝઘડામાં ભાઈની બે સગા ભાઈઓએ કરી હત્યા

હરેશભાઈ પરમારા દ્વારા, હળવદના દિઘડીયા ગામે સીમમાં વાડીએ રહેતા ત્રણ સગા ભાઇઓ વચ્ચે જમીનમાં સિચાઈ માટેનું પાણી લેવા બાબતે બોલાચાલી થઇ હતી જેમાં બે ભાઈઓએ એક સંપ કરીને તેના સગા ભાઈને ધારીયા અને છરીના ઘા ઝીકયા હતા જેથી તેનું મોત નીપજયું હતું અને તે યુવાનની પત્ની  અને સંતાનને પણ ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવેલ છે અને હાલમાં હળવદ પોલીસ દ્વારા ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદના દિઘડીયા ગામની સીમમાં રહેતા મુકેશભાઈ કુકાભાઈ સારલા (૩૫) તેમના પરિવાર સાથે ઘરે હતા ત્યારે તેના બે સગાભાઈ રઘાભાઈ કુકાભાઈ સારલા અને મુન્નાભાઈ કુકાભાઈ સારલાએ બોલાચાલી કરીને મુકેશભાઈ ઉપર છરી અને ધારીયા વડે હુમલો કર્યો હતો જેથી ઇજાઓ થવાથી મુકેશભાઈનું મોત નીપજ્યું હતું અને આ ઘટનામાં તેના પત્ની દક્ષાબેનને અને બાર વર્ષના દીકરાને પણ ઈજા થઈ હતી જેથી તે બંનેને સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવેલ છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રઘાભાઈમુકેશભાઈ અને મુન્નાભાઈ ત્રણ સગાભાઇ છે અને તેઓની વડીલોપાર્જિત ૧૫ વીઘા જમીનમાંથી ત્રણેય ભાઈઓને પાંચ પાંચ વીઘા જમીન ભાગમાં આવેલ છે જો કે, વીજ કનેક્શન એક જ હોવાથી મોટરથી પાણી લેવા બાબતે બોલાચાલી થઈ હતી. અને બાદમાં બે સગાભાઈઓએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો જેમાં મુકેશભાઇનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો અને આ બનાવમાં મૃતકના પત્ની દક્ષાબેનની ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરવામાં આવેલ છે 






Latest News