મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામેથી બુલેટ ચોરીને એમપીમાં મોજ કરતો શખ્સ પકડાયો


SHARE







મોરબીના શનાળા ગામેથી બુલેટ ચોરીને એમપીમાં 'મોજ' કરતો શખ્સ પકડાયો

મોરબી નજીકના શનાળા ગામેથી થોડા સમય પહેલા બુલેટની ચોરી થઈ હતી અને જે સંદર્ભે પોલીસને જાણ કરવામાં આવી હતી દરમિયાનમાં આ બુલેટ ચોરીના કેસમાં સંડોવાયેલ ઇસમની એમપી ખાતેથી ધરપકડ કરવામાં આવેલ છે.મોરબીથી બુલેટ ચોરીને તે એમપીમાં ફરતો હતો દરમિયાનમાં ત્યાંની પોલીસે તેને પકડ્યો હતો અને તેની પાસે બુલેટના ડોકયુમેન્ટ માંગતા તેની પાસે કાગળ ન હોય આ અંગે ઉલટ તપાસ કર્યા બાદ એમપી પોલીસ દ્રારા મોરબી પોલીસને જાણ કરવામાં આવી હતી.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના એ ડિવિઝન પોલીસ મથકના એમ.પી. ઝાલા દ્વારા હાલમાં મહેન્દ્ર મગન મહિડા (૩૫) રહે.મગરદા થાના જિલ્લો ધાર મધ્યપ્રદેશ વાળાની વાહન ચોરીના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે.તેઓના પાસેથી વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના શનાળા ગામે આવેલ નીતિનનગર વિસ્તારમાં રહેતા અજયભાઈ પ્રવીણભાઈ નામના વ્યક્તિનું બુલેટ ચોરી થયું હતું અને આ બુલેટ ચોરીને મહેન્દ્ર મહિડા ભાગી ગયો હતો અને ત્યાં એમપીમાં તેને એમપી પોલીસે પકડ્યો હતો અને બાદમાં મોરબી પોલીસને જાણ કરતા ત્યાં પહોંચીને આરોપીનો વાહન સાથે કબ્જો સંભાળ્યો હતો અને બાદમાં તેને રીમાંડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.જો કે કોર્ટે રિમાંડ ના મંજૂર કરતા હાલ વાહન ચોરીના ગુનામાં મહેન્દ્ર મગન મહિડા નામના મધ્યપ્રદેશના આદિવાસી યુવાનને જેલ હવાલા કરાયો હતો.

વાહન અકસ્માતમાં ઇજા થતા સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલા લુંટાવદર ગામના રહેવાસી ગીતાબેન ધીરજલાલ વાઘેલા નામના ૩૮ વર્ષના મહિલાને વાહન અકસ્માતમાં ઇજા થતા અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.સારવાર કરવામાં આવ્યા બાદ હોસ્પિટલ તરફથી તાલુકા પોલીસમાં જાણ કરતા જણાવવામાં આવ્યું હતું કે, મોરબીના નવલખી રોડ ઉપર લુંટાવદરથી પીપળીયા તરફ જતા રસ્તે ખાખરાળા ગામ નજીક રેલ્વે ફાટક પાસે બે બાઈક અથડાયા હતા જે બનાવમાં ગીતાબેન વાઘેલાને ઇજા થતા સારવાર માટે લાવવામાં આવ્યા હતા હાલ તાલુકા પોલીસ મથકના અર્જુનસિંહ ઝાલા દ્વારા આ બનાવની આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News