મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

હળવદના કડીયાણા નજીક વાડીએ પત્ની સાથે ઝઘડો થયા બાદ યુવાને જીવન ટૂંકાવ્યું


SHARE











હળવદના કડીયાણા નજીક વાડીએ પત્ની સાથે ઝઘડો થયા બાદ યુવાને જીવન ટૂંકાવ્યું

હળવદ તાલુકાના કડીયાણા ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાનને તેની પત્ની સાથે ઝઘડો અને બોલાચાલી થઈ હતી ત્યારબાદ તેને લાગી આવતા તે યુવાને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના બરોલીનો રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના કડીયાણા ગામની સીમમાં ઈશ્વરભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતો સમીરભાઈ શંકરભાઈ નાયક (૩૯) નામનો યુવાને વાડીએ હતો ત્યારે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાનને તેની પત્ની સાથે બોલા ચાલી અને ઝઘડો થયો હતો જે બાબતનું તેને લાગી આવતા તેણે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

યુવાનનું મોત
મોરબીના માળિયા હાઇવે ઉપર નાગડાવાસ ગામ નજીક આવે દેવ હોટલ ખાતે નાસ્તો કરવા માટે ઉભા રહેલા ટ્રક ચાલક રમેશસિંગ હેમસિંગ રાજપુત (૪૦) રહે.અંબાભારા તાલુકો ભટાના જીલ્લો રાજસમજ રાજસ્થાન વાળાને અચાનક છાતીમાં દુખાવો ઉપાડતા સાથી ટ્રક ચાલકો દ્વારા તેને માળિયા ખાતે સારવાર માટે લઈ જવામાં આવતો હતો.તે દરમિયાનમાં તેનું મોત નીપજયુ હતું અને ત્યાંથી યાદી આવતા તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજાએ તપાસ હાથ ધરતા તપાસ દરમિયાન ખુલ્યું હતું કે, છાતીમાં અચાનક દુખાવો ઉપડયા બાદ હાર્ટ એટેકના લીધે રમેશસિંહ રાજપૂત નામના રાજસ્થાની ડ્રાઇવરનું મોત નિપજયુ હતું.






Latest News