મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીની પ્રભુકૃપા ટાઉનશિપ સહિતની સોસાયટીમાં પાણીના ધાંધિયા: પંચાયત ઓફિસે બઘડાટી


SHARE











મોરબીની પ્રભુકૃપા ટાઉનશિપ સહિતની સોસાયટીમાં પાણીના ધાંધિયા: પંચાયત ઓફિસે બઘડાટી

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ પ્રભુકૃપા ટાઉનશિપ સહિતની સોસાયટીમાં પાણીના ધાંધિયા છે જેથી કરીને લોકોએ ગ્રામ પંચાયત કચેરીએ જઈને બઘડાટી બોલાવી હતી અને સમયસર તેમજ પૂરતા પ્રમાણમા પાણી આપવાની માંગ કરી હતી

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ પ્રભુકૃપા ટાઉનશીપ અને સોમનાથ ટાવરમાં પાણીના ધાંધીયા છે જેની વારંવાર રજૂઆત કરવામાં આવે છે તો પણ કોઈ કામ કરવામાં આવતું નથી જેથી કરીને લોકો ગ્રામ પંચાયત કચેરીએ આવ્યા હતા અને ત્યાં તલાટી મંત્રી સમક્ષ પાણી નિયમિત અને પૂરતા પ્રમાણમા આપવા માટેની માંગ કરી હતી હાલમાં પાણી ન મળતું હોવાથી અઢી હજાર જેટલા લોકો હેરાન છે જો કે, અગાઉ જે લાઇન માંથી પાણી આવતું હતું તે નિયમિત રીતે આવતું હતું જો કે, હાલમાં જે લાઇન માંથી પાણી આપવામાં આવે છે તેમાંથી પાણી જ આવતું નથી જેથી લોકો હેરાન છે ત્યારે ગ્રામ પંચાયતના તલાટીમંત્રીએ કહ્યું હતું કે, ગામમાં હાલમાં વસ્તીની સામે ૧૦ એમ.એલ.ડી. પાણીની જરૂરીયાત છે. તેની સામે માત્ર ૪ એમ.એલ.ડી. પાણી આપવામાં આવે છે જેથી કરીને પાણીનો પ્રશ્ન ઊભો થયેલ છે 






Latest News