મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

નામ બડે ઓર દર્શન છોટે !: હળવદ તાલુકાનાં અગરીયા આજની તારીખે વાવાઝોડાની સરકારી સહાયથી વંચિત ?


SHARE













નામ બડે ઓર દર્શન છોટે !: મોરબી જીલ્લાના હળવદ તાલુકાનાં અગરીયા આજની તારીખે વાવાઝોડાની સરકારી સહાયથી વંચિત ?

મોરબી જીલ્લાના હળવદ તાલુકામાં તોક્તે વાવાઝોડા સમયે મીઠાના અગરમાં મોટા પ્રમાણમા નુકશાન થયું હતું જેથી કરીને મીઠાના કામદાર, અગરીયાઓને વાવાઝોડામાં થયેલા નુકશાનની સામે વળતર આપવાની માંગ કરવામાં આવી હતું જેથી કરીને સર્વે સહિતના નાટકો કરવામાં આવ્યા હતા જો કે, આજ દિવસ સુધી અગરીયનોને સરકાર તરફથી એક રૂપિયાની સહાય આપવામાં આવી નથી ત્યારે મોરબી જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના દંડકની આગેવાનીમાં કલેકટરને આવેદન પત્ર આપીને વળતરની રકમ ચુકવવા માંગ કરવામાં આવી છે

મોરબી જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના દંડક સરોજબેન ધર્મેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં આજે કલેકટરને આવેનદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં લખ્યું છે કે, રાજયમાં જે તોફતે વાવાઝોડુ આવેલ હતું તેના લીધે હળવદ તાલુકાના મીઠું પક્વતા અગરીયાઓને પારાવાર નુકશાન થયેલ હતું અને અગરીયા દ્વારા સરકારમાં રજુઆતો કરતા સરકાર દ્વારા રાહત પેકેજ સહાય જાહેર કરવામાં આવેલ હતી અને સરકારે અગરીયાઓને ૧ (એક) એકર દીઠ રૂપીયા ૩૦૦૦ ની એમ વધુમાં વધુ દસ એકર સુધીની સહાય આપવાની જાહેરાત કરેલ હતી અને જિલ્લા ઉધોગ કચેરી મારફત રાહત પેકેજના ફોર્મ વિતરણ કરીને મીઠું પકવતા અગરીયાઓના મીઠાના ધોવાણ અંગેનો સર્વે હાથ ધરીને તા .૩૧/૭/૨૦૨૧ સુધીમાં અગરીયાઓ મળવાપાત્ર સહાયના આધાર પુરાવાઓ સાથેના ફોર્મ ભરીને જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસે આપી દેવામાં આવ્યા હતા પરંતુ મીઠાના કામદાર અને અગરીયાઓને હજુ સુધી સરકાર દ્વારા કોઈ વળતરની રકમ ચુકવવામાં આવેલ નથી આમ ત્રણ માસ જેટલો સમય થઈ ગયેલ હોવા છતા હજુ સુધી વળતર આપેલ ન હોવાથી અગરીયાઓની હાલત કફોડી બનેલ છે ત્યારે વાવાઝોડાના વળતરની રકમ તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે






Latest News