હળવદના ટીકર ગામે યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો, ગંભીર ઈજા પામેલ યુવાન અમદાવાદ સારવાર માટે ખસેડાયો માળીયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી ચોરખાનામાં 96 બોટલ દારૂ ભરેલ સેન્ટ્રો કાર સાથે એક ઝડપાયો, 2.16 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના ભલગામ નજીક હોટલ પાસેથી શંકાસ્પદ હાલતમાં 29,000 લીટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો, 48.33 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સ પકડાયા સરકાર દરમ્યાનગીરી કરીને મોરબીમાં એક જ ભાવે નેચરલ ગેસ આપે તો જ બંધ પડેલા સિરામિકના કારખાના ધમધમશે: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા મોરબીના ન્યુ પેલેસમાં આગ લગતા ત્રણ રૂમમાં મૂકવામાં આવેલ એન્ટિક ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાખ મોરબીના રફાળેશ્વર નજીકથી ટ્રક પલટી મારી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: મોરબીમાં ઘર પાસેથી બાઈકની ચોરી માળીયા (મી)ના કાજરડા ગામે ઈંડા-મુરઘીની દુકાન ધરાવતા યુવાન ઉપર 4 શખ્સોએ કર્યો છરી-ધોકા વડે હુમલો મોરબી શહેર-તાલુકામાં બે રેડમાં દારૂની 58 બોટલ ઝડપાઇ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં વાવાઝોડાની અસરના લીધે કેરી, લીંબુ સહિતના બાગાયતી પાકોને લાખોનું નુકશાન


SHARE











મોરબી જીલ્લામાં વાવાઝોડાની અસરના લીધે કેરી, લીંબુ સહિતના બાગાયતી પાકોને લાખોનું નુકશાન

વાવાઝોડાની અસરના કારણે મોરબી પંથકમાં ભારે પવન સાથે ભારે વરસાદ પણ પડ્યો હતો જેથી કરીને બાગાયતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ખાસ કરીને મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં શિવપુર ગામની આસપાસના વિસ્તારમાં કેરી અને લીંબુનો પાક ખેડૂતો લેતા હોય છે તેનો પાક ખરી પડ્યો છે અને આંબા તેમજ લીંબુના ઝાડ તૂટી પડતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયેલ છે

સામાન્ય રીતે રૂટીન ખેતી કરતા ઓછી મહેનતે ખેડૂતોને બાગાયતી પાકમાં સારી એવી આવક થતી હોય છે જેથી કરીને રૂટીન ખેતી છોડીને ખેડૂતો દ્વારા બાગાયતી પાકની ખેતી કરવામાં આવતી હોય છે જોકે હાલમાં વાવાઝોડાની અસરના કારણે શુક્રવારે મોરબી જિલ્લામાં ભારે પવન સાથે ભારે વરસાદ પણ થયો હતો જેથી કરીને બાગાયતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવતા શિવપુર ગામની આસપાસના વિસ્તારમાં ૫૦થી વધુ ખેડૂતો દ્વારા આંબા પોતાની વાડીઓમાં ૫૦૦૦ જેટલા ઉછેરીને કેરીના પાક લેવામાં આવે છે તેમજ ત્યાં લીંબુની ખેતી પણ મોટા પ્રમાણમાં ખેડૂતો કરતા હોય છે

જોકે ભારે પવન અને વરસાદના કારણે ખેડૂતોની વાડીઓમાં આંબા ઉપર પાક આવેલ કેરીઓ ટપો ટપ તૂટી પડી હતી અને જેથી કરીને બાગાયતી ખેતી કરતા ખેડૂતોને નુકસાન થયેલ છે ખેડૂતો પાસેથી જાણવા મળતી વિદ્યુત પ્રમાણે સામાન્ય રીતે ગીરની કેસર કેરી ઉનાળાના શરૂઆતના સમયથી આવવાનું શરૂ થઈ જતું હોય છે જોકે હળવદ તાલુકાના શિવપુર ગામની આસપાસના વિસ્તારમાં જે ખેડૂતોના આંબા છે તેની કેરી કચ્છની કેરીની જેમ ચોમાસુ શરૂ થયા બાદ બજારમાં આવતી હોય છે જોકે આ કેરીનો પાક ખેડૂતો દ્વારા ઉતારી લેવામાં આવે અને બજારમાં વેચાણ થાય ત્યારે પહેલા વાવાઝોડા ની અસર ના કારણે ખેડૂતના ખેતરમાં આંબે ઝૂલતી કેરીઓ તૂટી પડી હતી અને તેના કારણે એક એક ખેડૂતને અંદાજે પાંચથી સાત લાખ રૂપિયાનું નુકસાન થયું હોય તેવી માહિતી હાલમાં ખેડૂતો આપી રહ્યા છે અને આ ખેડૂતોની કાચી કેરી જે તૂટી પડી છે તે હવે બજારમાં વેચાણ થશે નહીં અને તેઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે ત્યારે સરકાર તરફથી તેઓને સહાય આપવામાં આવે તેવી લાગણી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે  






Latest News