મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

ટંકારાના હડમતિયા ગામે વાવાઝોડાના અસરગ્રસ્તોને કેશ ડોલ્સ ચુકવાઇ


SHARE







ટંકારાના હડમતિયા ગામે વાવાઝોડાના અસરગ્રસ્તોને કેશ ડોલ્સ ચુકવાઇ

ગુજરાત સરકાર તેમજ વહીવટીતંત્ર દ્વારા બિપોરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત વાંજા વિસ્તારના ૭૬ રહીશોને અગમચેતીના ભાગરૂપે હડમતિયાની શ્રી હડમતિયા કન્યા તાલુકા શાળા અને શ્રી હડમતિયા કુમાર પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરવામાં આવેલ હતા. ગુજરાત સરકાર તેમજ વહીવટી તંત્ર દ્વારા સ્થળાંતર પામેલા વિચરતી વિમુક્ત જાતિઓના વ્યક્તિઓને રોજબરોજની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મેળવવા માટેની મુશ્કેલી નિવારવા રોકડ રકમ(કેશ ડોલ્સ)ની સહાય ચૂકવવાની જરૂરિયાત ઉદ્ભવતા મહેસુલ વિભાગ દ્વારા બિપરજોય વાવાઝોડા દરમિયાન સ્થળાંતર કરવામાં આવેલ હોય તેવા પુખ્ત વયની વ્યક્તિને ૧૦૦ રૂપિયા અને બાળકદીઠ રૂપિયા ૬૦ પ્રતિદિન મળીને કુલ બે દિવસના ૧૨૫૬૦ હડમતિયા ગામના પંચ તેમજ ગામના તલાટી મંત્રી મનિષાબેન ગજેરા અને શિક્ષકોની હાજરીમાં ચૂકવવામાં આવ્યા  છે






Latest News