મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું મોરબીના મોડપર ગામે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો મોરબી જિલ્લામાં ત્રણ તાલુકાની 124 બેઠકો માટે ભાજપમાં 237 દાવેદાર: આજે બે તાલુકા પંચાયત, બે તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકો અને એક પાલિકાની બેઠક માટે સેન્સ લેવાશે ગેસ કંપનીએ રોન કાઢી !: ગુજરાત ગેસ કંપનીએ મોરબીમાં સિરામિક ઉદ્યોગના કાયમી-આપદા સમયે આવેલ ગ્રાહકો માટે આપેલા ગેસના ભાવમાં જમીન આસમાનનો તફાવત હળવદના ભલગામડા-દીઘડીયા રોડે ડબલ સવારી બાઇક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત ટંકારાના ઓટાળા ગામે ખેતરના શેઢાની જમીન માપણીના મનદુખમાં સામસામે મારા મારી: હવે બંને પક્ષેથી ફરિયાદ ટંકારાના લતીપર રોડે ટ્રક સાથે બાઇક અથડાતાં બાઇક ચાલકનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે બસમાંથી ઉતરીને રોડ ક્રોસ કરતાં બે મહિલા સહિત 4 પૈકીનાં 3 લોકોને કાર ચાલકે ઉડાવ્યા
Breaking news
Morbi Today

મોરબીના ધારાસભ્યની બંદીવાનોને ટકોર : 'કોઈના કહ્યામાં ગુના આચાર્ય બાદ જે તે વ્યક્તિ બહાર જલસા કરે અને તમારે જેલ ભોગવી પડે તેવું ન બને તે માટે તમારા પરિવારનું વિચારો


SHARE











મોરબીના ધારાસભ્યની બંદીવાનોને ટકોર : 'કોઈના કહ્યામાં ગુના આચાર્ય બાદ જે તે વ્યક્તિ બહાર જલસા કરે અને તમારે જેલ ભોગવી પડે તેવું ન બને તે માટે તમારા પરિવારનું વિચારો

મોરબી સબ જેલ ખાતે બીપોરજોય વાવાઝોડાના સંદર્ભે મોરબી જિલ્લાના  ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા જેલની મુલાકાત લેવામા આવી હતી તેમજ જેલમાં રહેલ તમામ પુરુષ-મહિલા બંદીવાનઓની સાથે વાતચીત કરી હતી તે દરમિયાન તેઓએ બંદીવાનોને જણાવ્યું હતું કે અન્ય કોઈના દોરવ્યા કે કોઈના કહ્યામાં ગુના આચાર્ય બાદ જે તે વ્યક્તિ બહાર જલસા કરે અને તમારે જેલ ભોગવી પડે આવું બને તે માટે તમારું તમારા પરિવાર અને બાળકોનું તેમજ ભવિષ્યનું વિચારીને આગામી સમયમાં સારું જીવન જીવવા અને સારા નાગરિક બનવા તેઓએ બંધીવાનોને જણાવ્યું હતું.

આસાથે તેઓએ જેલમાં મળતો ખોરાક જાતે ચાખી ચેક કર્યો હતો.જેલમાં રહેવાની સગવડ,  સલામતી અને આરોગ્ય વિશેની જાણકારી લીધી હતી.તેમજ સરકાર તરફથી મળતી સવલતો અને યોજના મળે તેની માહિતી આપી હતી.તેમજ વાવઝોડામાં કોઈ તકલીફ નથી તેની તમામ બંદીવાનોને રૂબરૂ મળી માહિતી મેળવી હતી.આ મુલાકાત દરમિયાન જેલ અધિક્ષક, ડી.એમ.ગોહેલ, જેલર પી.એમ.ચાવડા હાજર રહેલ હતા






Latest News