મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું મોરબીના મોડપર ગામે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો
Breaking news
Morbi Today

વાવાઝોડાં સંદર્ભે સ્થળાંતરિતો માટે ભોજન અંગે મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર પર વિશ્વાસ મુકી તક આપવા બદલ મંત્રી સહીતનાઓનો આભાર


SHARE











વાવાઝોડાં સંદર્ભે સ્થળાંતરિતો માટે ભોજન અંગે મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર પર વિશ્વાસ મુકી તક આપવા બદલ મંત્રી સહીતનાઓનો આભાર

ગુજરાત સરકારના મંત્રી કનુભાઈ દેસાઈ, મોરબી-માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જીલ્લા કલેક્ટર સમગ્ર વહીવટી તંત્ર, પોલીસ ડીપાર્ટમેન્ટ, પી.જી.વી.સી.એલ. તથા મિડીયા કર્મીઓનો વાવાઝોડાં સંદર્ભે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ મોરબી જલારામ મંદિરના અગ્રણીઓએ અભિનંદન સહ આભાર વ્યક્ત કર્યો હતો.તેમજ સેવાની તક આપવા બદલ તંત્રનો ખાસ આભાર માન્યો હતો

વાવાઝોડાંએ કહેર વર્તાવ્યો હતો ત્યારે મોરબી જીલ્લામાં પણ તેની ગંભીર અસરોનુ અનુમાન હતુ પરંતુ રાજ્ય સરકારના મંત્રી કનુભાઈ દેસાઈ, મોરબી-માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જીલ્લા કલેક્ટર સમગ્ર વહિવટી તંત્ર, પોલીસ ડીપાર્ટમેન્ટ તેમજ મિડીયા કર્મીઓની ઉત્કૃષ્ઠ કામગીરી બદલ મોરબીમાં જાનહાની ટળી હતી તેમજ ઓછાંમાં ઓછું નુકસાન થયુ હતુ. તે બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના આગેવાનોએ તમામને ઉમદા કામગીરી બદલ અભિનંદન સહ આભારની લાગણી વ્યક્ત કરી છે.તે ઉપરાંત સ્થળાંતરિતો માટે ભોજન વ્યવસ્થા કરવાની ઉમદા તક શ્રી જલારામ પ્રાર્થના મંદિરને આપવા બદલ ટ્રસ્ટના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી તથા શ્રી જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિતભાઈ કક્કડે મંત્રી, ધારાસભ્ય, કલેક્ટર તેમજ વહિવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો છે.મોરબી-માળીયાના ધારસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ નાયબ કલેક્ટરએ જલારામ મંદિરની રબરૂ મુલાકાત લઈ સેવાકીય પ્રવૃતિને બિરદાવી હતી તેમજ મંત્રી કનુભાઈ દેસાઈએ ટ્રસ્ટના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી સાથે ટેલિફોનીક વાત-ચીત કરી કામગીરીને બિરદાવી હતી.જીવના જોખમે વાવાઝોડામાં વિજ પૂરવઠો પૂર્વવત થાય તે માટે કાર્ય કરતા પી.જી.વી.સી.એલ.નો સ્ટાફ તેમજ હરહંમેશની જેમ નિડરતાથી વાવાઝોડાં સામે બાથ ભીડી લોકો સુધી સત્ય ખબર પહોંચાડનાર તમામ મિડીયા કર્મીઓને મોરબી જલારામ પ્રાર્થના મંદિરના આગેવાનોએ અભિનંદન પાઠવ્યા છે.






Latest News