મોરબીના મોડપર ગામે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો મોરબી જિલ્લામાં ત્રણ તાલુકાની 124 બેઠકો માટે ભાજપમાં 237 દાવેદાર: આજે બે તાલુકા પંચાયત, બે તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકો અને એક પાલિકાની બેઠક માટે સેન્સ લેવાશે ગેસ કંપનીએ રોન કાઢી !: ગુજરાત ગેસ કંપનીએ મોરબીમાં સિરામિક ઉદ્યોગના કાયમી-આપદા સમયે આવેલ ગ્રાહકો માટે આપેલા ગેસના ભાવમાં જમીન આસમાનનો તફાવત હળવદના ભલગામડા-દીઘડીયા રોડે ડબલ સવારી બાઇક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત ટંકારાના ઓટાળા ગામે ખેતરના શેઢાની જમીન માપણીના મનદુખમાં સામસામે મારા મારી: હવે બંને પક્ષેથી ફરિયાદ ટંકારાના લતીપર રોડે ટ્રક સાથે બાઇક અથડાતાં બાઇક ચાલકનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે બસમાંથી ઉતરીને રોડ ક્રોસ કરતાં બે મહિલા સહિત 4 પૈકીનાં 3 લોકોને કાર ચાલકે ઉડાવ્યા મોરબીમાં દેશી-વિદેશી દારૂની 3 રેડમાં 2.09 લાખથી વધુનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થયા બાદ હળવદના કડિયાણા ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત


SHARE











પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થયા બાદ હળવદના કડિયાણા ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના કડિયાણા ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનને સારવારમાં મોરબી લાવવામાં આવ્યો હતો.જેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજેલ છે.મોરબી પોલિસએ પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે હળવદ પોલિસને જાણ કરેલ છે.

બનાવ અંગે વધુમાં મળતી માહિતી મુજબ મોરબીના હળવદ તાલુકાના કડિયાણા ગામે ઇશ્વરભાઈ ભીમાણીની વાડીએ કોઈ કારણોસર ઝેરી દવા પી ગયેલ સમીર શંકરભાઇ નાયક નામના ૩૯ વર્ષના યુવાનને સારવારમાં મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જેનું અહીં ટૂંકી સારવાર બાદ મોત નીપજેલ છે.મોરબી સિટિ એ ડીવીઝનના હરેશભાઈ ચાવડાએ પ્રાથમીક તપાસ કરીને બનાવ અંગે હળવદ પોલિસને જાણ કરતાં હળવદ પોલિસએ બનાવના કારણ બાબતે આગળની તપાસ ચાલુ કરેલ છે.સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ યુવાને ઉપરોક્ત પગલું ભરી લીધું હતું જોકે સાચું કારણ હળવદ પોલીસની તપાસ બાદ સામે આવશે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા હર્ષદભાઈ બચુભાઈ ભીમાણી નામના ૪૭ વર્ષના યુવાનને ગામમાં વાહન અકસ્માતમાં ઈજા થઈ હતી જેથી તેને અત્રે ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યો હતો.હર્ષદભાઈ ભીમાણી ગામમાં બાઈક લઈને જતા હતા ત્યારે રસ્તામાં તેમનું બાઈક સ્લીપ થઈ ગયું હતું અને તે બનાવમાં તેમને ઈજા પહોંચી હતી.જ્યારે મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ રવાપર નદી ગામે રહેતા ગણેશ કનુજી ભીલ નામના ૩૩ વર્ષના યુવાનને ગામની અંદર કામ દરમિયાન વીંછી કરડી જતા સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના રહેવાસી સંજયભાઈ મધુકરભાઈ નામના ૪૦ વર્ષના યુવાનને મોરબીના શનાળા રોડ ઉપર આવેલા સૂરજબાગ નજીક મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી જેથી તેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ. ચાવડા દ્વારા નોંધ કરી કારણ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.






Latest News