મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે
Breaking news
Morbi Today

વાંકાનેર બ્રહ્મ સમાજ ગણેશોત્સવમાં Baps સ્વામિનારાયણ સંસ્થાનાં સંતો પધાર્યા 


SHARE











વાંકાનેર બ્રહ્મ સમાજ ગણેશોત્સવમાં Baps સ્વામિનારાયણ સંસ્થાનાં સંતો પધાર્યા 

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરમાં ગણેશોત્સવની ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે બ્રહ્મ સમાજ કા રાજ દુલારા ગણેશ પંડાલ ખાતે Baps સ્વામિનારાયણ સંસ્થાનાં સંતોએ ખાસ પધરામણી કરતા ભાવિકોએ આશીર્વચનનો લાભ લીધો હતો.
વાંકાનેર સમસ્ત બ્રહ્મસમાજ અગ્રણી ભરતભાઈ ઓઝા દ્વારા સ્ટેચ્યુ સર્કલ પાસે સમસ્ત બ્રહ્મ સમાજ કા રાજ દુલારા ગણેશ પંડાલ ખાતે ભક્તિભાવ પૂર્ણ ગણેશોત્સવ ઉજવણી કરવામાં
આવી રહી છે ત્યારે આ ધાર્મિક કાર્યક્રમનાં નિમંત્રણ અન્વયે મોરબી ક્ષેત્રનાં સંત નિર્દેશક હરિસ્મરણ સ્વામી તથા મંગલપ્રકાશ સ્વામીની ગણેશોત્સવમાં ખાસ પધરામણી કરવામાં આવી હતી અને તેઓના વરદ હસ્તે આરતી કરવામાં આવી હતી, અગ્રણીઓ હસ્તે સંતોનું  સન્માન કરવામાં આવ્યું હતું, હરિસ્મરણ સ્વામીએ આશીર્વચન પાઠવતા કહ્યું હતું કે ગણેશજીનું સ્વરૂપ આપણને અનેક પ્રેરણા આપે છે,આજે કોઈ કોઈનું સાંભળતું નથી ત્યારે ગણેશજીનાં મોટા કાન આપણને સામી વ્યક્તિની વાત સાંભળવાની પ્રેરણા આપે છે, વિશ્વવંદનીય સંત પુજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહેતા સામા વ્યક્તિની વાત સાંભળવી, યોગ્ય વાત એ ન સમજે તો આપણે સમજી જવું. આ તકે ભરતભાઈ ઓઝા દ્વારા સંતોનું સન્માન કરાયું હતું, રાજકોટથી બ્રહ્મ સમાજઅગ્રણી જીતુભાઈ મહેતા, વાંકાનેર બ્રહ્મ સમાજનાં પુષ્કરભાઈ ત્રિવેદી, અમિતભાઈ મઢવી, રાજુભાઈ રાજગોર, અમિતભાઈ ભટ્ટ, રાજુભાઈ રાવલ, દુષ્યંતભાઈ ઠાકર, યોગીભાઈ વ્યાસ, મહેંદ્રભાઈ આચાર્ય, રમેશભાઈ (કવિ), ઉદ્યોગપતિ ગિરીશભાઈ કાનાબાર, વાંકાનેર Baps મંડળનાં અગ્રણી જયેશભાઈ રામાણી, હંસાબેન રામાણી હાજર રહ્યા હતાં.






Latest News