મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં નરેન્દ્ર મોદીની તસ્વીર પર ફૂલહાર ચડાવીને ભાજપ કાર્યકરોએ વાયરલ કરેલ તસવીર હવે જીતુભાઇ સોમાણીના ફેસબુક ઉપર મુકાઇ !


SHARE







વાંકાનેરમાં નરેન્દ્ર મોદીની તસ્વીર પર ફૂલહાર ચડાવીને ભાજપ કાર્યકરોએ વાયરલ કરેલ તસવીર હવે જીતુભાઇ સોમાણીના ફેસબુક ઉપર મુકાઇ !

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાં 71 માં જન્મ દિવસ નિમિત્તે નરેન્દ્ર મોદી ની તસ્વીર પર ભાજપ કાર્યકરો દ્વારા જ ફૂલહાર ચઢાવી દેવામાં આવ્યો હતો ! અને આ તસવીર સોશ્યલ મીડિયામાં વાઈરલ થતા હોબાળો મચી જવા પામ્યો હતો.

વાંકાનેર ભાજપનો આંતરિક ગજગ્રાહ જગજાહેર છે ત્યારે વધુ એક ગજગ્રાહ બહાર આવ્યો હતો, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં 71 માં જન્મ દિવસ નિમિત્તે ભાજપનાં જ કાર્યકરો ઉત્સાહમાં આવી જઈ જીવતા જાગતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસ્વીર પર ફૂલહાર ચઢાવી દીધો હતો !! અને આ તસ્વીર સોશ્યલ મીડિયામાં ભાજપ કાર્યકર દ્વારા જ વાયરલ કરવામાં આવતાં વાંકાનેર ભાજપનો આંતરિક ગજગ્રાહ બહાર આવ્યો હતો અને સોશ્યલ મિડિયા પર આક્ષેપ બાજી શરૂ થઈ હતી, ત્યારે ભાજપ કાર્યકરો દ્વારા જ ઉત્સાહમાં આવી જઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસ્વીર પર ફૂલહાર ચઢાવી દેતા આ તસ્વીર સોશ્યલ મિડિયામાં વાયરલ કરવામાં આવી છે અને ભાજપના અગ્રણી જીતુભાઇ સોમાણીના ફેસબુક એકાઉન્ટ સહિતના સોશ્યલ મિડીયામાં આ ફોટો વાયરલ થતા ચકચાર મચી ગઇ છે






Latest News