મોરબી, વાંકાનેર, મથક અને મંગળાપુર ગામે જુગારની રેડમાં 12 શખ્સ પકડાયા મોરબીના જમના એપાર્ટમેન્ટમાં ગળાફાંસો ખાઇને વૃદ્ધે કર્યો આપઘાત: શક્તિનગર સોસાયટીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન
Breaking news
Morbi Today

હળવદના મિયાણી ગામે પતિના આડા સંબંધ-સાસરિયાના ત્રાસથી કંટાળી પરણીતાએ પિયરમાં આયખું ટુકાવવાના બનાવમાં ગુનો નોંધાયો: બેની ધરપરડ


SHARE







હળવદના મિયાણી ગામે પતિના આડા સંબંધ-સાસરિયાના ત્રાસથી કંટાળી પરણીતાએ પિયરમાં આયખું ટુકાવવાના બનાવમાં ગુનો નોંધાયો: બેની ધરપરડ

હળવદ તાલુકાના મિયાણી ગામે પરણીતાએ પિયરમાં ઝેરી દવા પીને આપઘાત કરી દીધો હતો ત્યારબાદ મૃતક મહિલાની માતા દ્વારા તેના જમાઈ, વેવાઈ તથા વેવાણ આમ ત્રણ ની સામે દીકરીને મરવા માટે મજબૂર કરી હોવા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને હાલમાં મૃતક મહિલાના પતિ અને સસરાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના મિયાણી ગામે રહેતા પિયરમાં આવેલ કલ્પેશભાઈ ત્રિભુવનભાઈ સુરેલાના પત્ની કાજલબેન કલ્પેશભાઈ સુરેલાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો જે બનાવવામાં મૃતક મહિલાની માતા રાજુબેન જાદવજીભાઈ ઝીંઝવાડીયા જાતે કોળી ૫૦ રહે મિયાણી ગામ વાળાએ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના જમાઈ કલ્પેશભાઈ ત્રિભોવનભાઈ સુરેલા, વેવાઈ ત્રિભુવનભાઈ ઠાકરશીભાઈ સુરેલા અને વેવાણ રમીલાબેન ત્રિભુવનભાઈ સુરેલા રહે બધા નવા માલણીયાદ વાળાની સામે દીકરીને મરવા મજબૂર કરી હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેની દીકરીના સાસુ અને સસરા તેને ઘરકામ બાબતે મેણા ટોંણા મારતા હતા અને તેના પતિ કલ્પેશને ચડામણી કરતા હતા જેથી કરીને તે ફરિયાદીની દીકરીને શારીરિક માનસિક ત્રાસ આપતો હતો તેમજ મૃતક મહિલાના પતિને કોઈ સાથે આડા સંબંધ હોય તે તેની પત્નીને શારીરિક માનસિક ત્રાસ આપી ગાળો બોલી મારકુટ કરતો હતો તે પ્રકારની ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે હાલમાં મૃતક મહિલાના પતિ કલ્પેશભાઈ ત્રિભુવનભાઈ સુરેલા અને સસરા ત્રિભુવનભાઈ સુરેલાની ધરપકડ કરેલ છે.






Latest News