મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના ઝૂલતા પુલ કેસમાં વધુ બે આરોપીના હાઇકોર્ટમાંથી જામીન મંજૂર


SHARE







મોરબીના ઝૂલતા પુલ કેસમાં વધુ બે આરોપીના હાઇકોર્ટમાંથી જામીન મંજૂર

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં પકડાયેલા વધુ બે આરોપીની જામીન અરજી હાઈકોર્ટમાં મૂકવામાં આવી હતી જેમાં પોલીસ તપાસમાં તમામ સહકાર આપવાની શરતે હાઇકોર્ટે બે આરોપીના જામીન મંજૂર કરેલ છે

મોરબીમાં ૩૦ ઓક્ટોબર ૨૦૨૨ ના રોજ ઝૂલતા પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને કુલ મળીને ૧૩૫ લોકોના મોત નીપજયાં હતા અને અને લોકો ઘાયલ થયા હતા જેની ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલ સહિત કુલ મળીને ૧૦ આરોપીને પકડવામાં આવેલ હતા અને તે આરોપીઓને મોરબીની જેલમાં રાખવામા આવ્યા હતા તે પૈકીનાં ત્રણ આરોપીના અગાઉ જામીન મંજૂર કરવામાં આવ્યા હતા ત્યાર બાદ ટિકિટ વેચવાનું કામ કરતા મહાદેવ લખાભાઇ સોલંકી અને મનસુખ વાલજીભાઇ ટોપિયાના જામીન માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી જેમાં હાઈકોર્ટે બંને આરોપીઓને પોલીસ તપાસમાં તમામ સહકાર આપવાની શરતે જામીન મુક્ત કરેલ છે






Latest News