તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

ટંકારાના ઓવરબ્રિજ નીચે નવુ પિકઅપ પોઈન્ટ બનાવવા ધારાસભ્યની સૂચના


SHARE











ટંકારાના ઓવરબ્રિજ નીચે નવુ પિકઅપ પોઈન્ટ બનાવવા ધારાસભ્યની સૂચના

ટંકારાના ધારાસભ્ય દુલભજી દેથરીયાએ રાજકોટ જામનગર જતા પેસેન્જરો માટે ઓવરબ્રિજ નીચે નવુ પિકઅપ પોઈન્ટ બનાવવા લગત વિભાગને સુચના આપવામાં આવેલ છે અને ટુક સમયમાં સર્વે કરીને કામગીરી કરવામાં આવશે જેથી કરીને મુસાફરોની સુવિધામાં વધારો થયેલ છે ટંકારામાં નવ નિર્માણ પામેલ બસ સ્ટેશનમાંથી મોરબી તરફથી આવતી એક પણ બસો ઓવરબ્રિજને કારણે જતી નથી ત્યારે આ સમસ્યાના સમાધાન સ્વરૂપે નવુ પિકઅપ પોઈન્ટ ફાળવયુ હોય લોકોમાં હર્ષની લાગણી ફેલાઈ છે. અત્રે ઉલેખનીય છે કે, ટંકારા તાલુકો જાહેર થયા બાદ ૨૨ વર્ષ બાદ બસ સ્ટેન્ડ મળ્યું છે પરતું ખાટલે મોટી ખોટ પડી અને ઓવરબ્રિજના કારણે લાખોના ખર્ચે તૈયાર બસ સ્ટેન્ડ એક તરફી સગવડીયુ બન્યું હોવાથી રાજકોટ કે જામનગરથી આવતી તમામ બસો બસ સ્ટેન્ડમા જતી હોય છે પરંતુ મોરબી તરફથી આવતી બસ ત્યાં આવતી નથી જેથી મુસાફરોને ઠંડી, ગરમી અને વરસાદમાં ખુલ્લા આકાશ નિચે ઉભા રહેવું પડે છે ત્યારે ટંકારાના ધારાસભ્ય દુલભજી દેથરીયાએ નવુ પિકઅપ પોઈન્ટ ફાળવવા તાકીદે કરી હતી જેથી કરીને મુસાફરોની સુવિધામાં વધારો થશે






Latest News