મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી
Breaking news
Morbi Today

મોરબી-માળિયા વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટાયેલા બીજા ધારાસભ્યને મળ્યું રાજયના મંત્રી મંડળમાં સ્થાન 


SHARE











મોરબી-માળિયા વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટાયેલા બીજા ધારાસભ્યને મળ્યું રાજયના મંત્રી મંડળમાં સ્થાન 

ગઇકાલે રાજ્યના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ હતો જેમાં મોરબી માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરેજાને મંત્રી તરીકેના શપથ લીધા હતા અને હાલમાં તેઓને રાજ્યકક્ષાના મંત્રી તરીકે સ્વતંત્ર હવાલો આપવામાં આવેલ છે આમ મોરબી-માળિયા વિધાનસભા બેઠક ઉપરથી અત્યાર સુધીમાં ચૂંટાયેલા ધારાસભ્યોએ પૈકીનાં બ્રિજેશભાઈ મેરજા બીજા ધારાસભ્ય છે કે જેમને રાજયના મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે


છેલ્લા દિવસોમાં રાજ્યમાં મોટી રાજકીય ઉથલપાથલ થવાથી રાજ્યના ૧૭ માં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ બન્યા છે અને ગઇકાલે તેના મંત્રી મંડળનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો જેમાં મોરબી માળીયા બેઠક ઉપરથી છેલ્લે યોજાયેલ પેટા ચુંટણીમાં વિજેતા બનેલા શિક્ષિત અને શાંત સ્વભાવના બ્રિજેશભાઈ મેરેજાને રાજ્યકક્ષાના મંત્રી તરીકે લેવામાં આવેલ છે અને તેઓને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે જો કેમોરબી માળીયા વિધાનસભા બેઠક જયારથી અસ્તિત્વમાં આવેલ છે ત્યારથી આજ સુધીમાં સૌથી વધુ વખત કાંતિભાઈ અમૃતીયા આ બેઠક ઉપરથી ચૂંટાયા છે પરંતુ તેઓને કયારેય મંત્રી મંડળમાં સમાવવામાં આવ્યા ન હતા અને બ્રિજેશભાઈ મેરજાને ભાજપના ધારાસભ્ય તરીકે પ્રથમ વખત ચૂંટતાની સાથે જ સીધી લોટરી લાગી ગયેલ છે

અત્રે ઉલેખનીય છે કેમોરબી-માળિયા વિધાનસભા બેઠક ઉપરથી અત્યાર સુધીમાં ઘણા ધારાસભ્યોએ ચૂંટાયા છે તેમાથી અગાઉ બાબુભાઇ જશભાઈ પટેલ વર્ષ ૧૯૯૦ થી ૧૯૯૫ સુધી ચીમનભાઈ પટેલની સરકારમાં નર્મદા વિભાગના મંત્રી હતા ત્યાર બાદ બીજા ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા છે કે જેને રાજયના મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે હાલમાં મોરબી જીલ્લામાં પાંચ તાલુકાનો સમાવેશ થાય છે જેમાં મોરબી, માળીયા, હળવદ, ટંકારા અને વાંકાનેર તાલુકો આવે છે અને અગાઉ મોહનભાઇ કુંડારીયા ટંકારાના ધારાસભ્ય અને જયંતીભાઈ કવાડીયા હળવદના ધારાસભ્ય હતા ત્યારે તેઓને મંત્રી બનાવવામાં આવ્યા હતા






Latest News