મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના કાજરડા નજીક રીક્ષા પલટી: ઇજા પામેલા મુસાફર મહિલા સારવારમાં


SHARE











માળીયા (મી)ના કાજરડા નજીક રીક્ષા પલટી: ઇજા પામેલા મુસાફર મહિલા સારવારમાં

માળીયા મીયાણા તાલુકાના કાજરડા ગામના પાટીયા પાસે રીક્ષા પલટી મારી ગઈ હતી જેથી કરીને રિક્ષામાં બેઠેલ મહિલાને ઇજા થઈ હોવાથી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ પ્રમાણે વાંકાનેરમાં રહેતા રહીમાબેન અકબરભાઈ મોવર (૪૦) માળીયા મીયાણા તાલુકાના કાજરડા ગામના પાટીયા પાસેથી રિક્ષામાં બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર તે જે રિક્ષામાં બેઠા હતા તે રીક્ષા પલટી મારી ગઈ હતી જેથી કરીને અકસ્માતના આ બનાવવામાં રહીમાબેન મોવરને ઇજાઓ થઈ હતી માટે તેઓને પ્રાથમિક સારવાર માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે આપવામાં આવી હતી અને ત્યાર બાદ વધુ સારવાર માટે તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને બનાવ માળિયા તાલુકા પોલીસ સ્ટેશનની હદનો હોય આ અંગેની જાણ માળિયા તાલુકો પોલીસને કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે

મારામારીમાં ઇજા

મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં શોભેશ્વર રોડ ઉપર આવેલ મેલડી માતાજીના મંદિર પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલ કમલેશ સુખદેવભાઈ રાજપૂત (૩૨) અને રાજેશ મગનભાઈ અદગામા (૪૨) રહે. બંને કુબેર ટોકીઝ પાછળ ધાર વિસ્તાર શોભેશ્વર રોડ મોરબી વાળાને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઈજા પામેલ બંને યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવરીયાળી કેનાલ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં સિકંદર કાસમભાઈ સંધવાણી (૩૬) રહે. માળિયા મીયાણા વાળાને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઈજા પામેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે જેતપર ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળ વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.બી. પરમાર ચલાવી રહ્યા છે






Latest News