માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો ટંકારાના ડેમી-2 ડેમના 2 દરવાજા ચેકડેમો ભરવા માટે 1 ફૂટ ખોલ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં મોબાઈલ જોતા સગીર દીકરાને ભણવા બાબતે ઠપકો દેતા ગળેફાસો ખાઇ કર્યો આપઘાત


SHARE











મોરબીની ગોપાલ સોસાયટીનો બનાવ : મોબાઈલ જોતા સગીર પુત્રને ભણવા બાબતે ઠપકો દેતા ગળેફાસો ખાઇ જતા સગીરનું મોત

મોરબીના સામાકાંઠે આવેલી ગોપાલ સોસાયટીમાં રહેતા વીપ્ર પરિવારનો સગીરવયનો બાળક ગળેફાંસો ખાઈ ગયો હતો જેથી તેનું મોત નીપજ્યું છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ બાળક મોબાઈલ જોતો હોય પરિવારજને તેને અભ્યાસમાં ધ્યાન આપવા જણાવ્યું હતું જેથી કરીને ગઈકાલે સાંજે ગળેફાસો ખાઇ લેતાં સગીરનું મોત નીપજયું હતું બનાવને પગલે બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ નજીક આવેલી ગોપાલ સોસાયટીમાં રહેતા જયેશભાઇ પંડ્યાનો ૧૬ વર્ષનો દીકરો પરમ તા.૧૫-૯ ના સાંજના સાતેક વાગ્યાના અરસામાં તેના ઘેર ગળેફાંસો ખાઇ જતા પરમ જયેશ પંડયા નામના ૧૬ વર્ષના સગીરવયના બાળકનું મોત નિપજયું હતું.જેથી તેના મૃતદેહને પીએમ માટે સિવિલે ખસેડાયો હોય સિવિલ હોસ્પીટલના તબીબે બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી કરીને બીટ જમાદાર ફિરોજભાઈ સુમરાએ તપાસ હાથ ધરી હતી.જેમાં ખૂલ્યું હતું કે પરિવારના સભ્યએ તેને ભણવામાં ધ્યાન આપવા માટે જણાવ્યું હતુ જેથી પરિવારજને આપેલ સામાન્ય ઠપકાનું મનોમન લાગી આવતા મૃતક પરમ પંડયાએ ઉપરોક્ત અંતિમ પગલું ભરી લીધું હતું..! જોકે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મૃતક પરમ વધુ પડતો મોબાઇલ જોતો હોય તેને તેના પરિવારને મોબાઇલ મુકીને અભ્યાસમાં ધ્યાન દેવાનું જણાવ્યું હતું તે વાતનું મનોમન લાગી આવવાથી પરમ પંડ્યા નામના ૧૬ વર્ષના સગીરે ઉપરોકત અંતિમ પગલું ભરી લીધું હતું..!

ઝેરી દવા પી જતાં મહિલા સારવારમાં

મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકામાં આવતા નાના દહિંસરા ગામે રહેતા ભાવનાબેન કૌશિકભાઇ ભટાસણા નામની ૩૦ વર્ષીય મહિલા કોઈ કારણોસર ઝેરી દવા પી ગઈ હતી જેથી તેને આજે તા.૧૬-૯ ના વહેલી સવારે ચારેકક વાગ્યાના અરસામાં મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી બનાવને પગલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના વી.પી.છાસીયાએ પ્રાથમિક તપાસ કરીને આગળની તપાસ અર્થે બનાવની માળીયા પોલીસને જાણ કરી હતી. જ્યારે મોરબી નજીક આવેલા ટંકારા ખાતે સાપ કરડી જતા મૂળ જૂનાગઢના શંભુભાઈ મનુભાઈ મેર નામના ૩૦ વર્ષના યુવાનને મોરબીની હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યો હતો.જે અંગે મોરબી પોલીસે નોંધ કરીને બનાવ અંગે ટંકારા પોલીસને જાણ કરી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.






Latest News