મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી
Breaking news
Morbi Today

મોરબીના નેકનામ ગામે પતિના મોત બાદ માનસીક અસ્વસ્થ રહેતા વૃદ્ધાએ ઝેરી દવા પી લેતા મોત


SHARE











મોરબીના નેકનામ ગામે પતિના મોત બાદ માનસીક અસ્વસ્થ રહેતા વૃદ્ધાએ ઝેરી દવા પી લેતા મોત

મોરબી નજીક રાજકોટ હાઇવે ઉપર આવેલા ટંકારા તાલુકાના નેકનામ ગામે આદીવાદી વૃદ્ધાએ ઝેરી દવા પી લેતા તેણીનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.નેકનામ ગામે વાડી વિસ્તારમાં રહેતા અને ખેત મજુરીનું કામ કરતાં મુળ મધ્યપ્રદેશના વૃદ્ધાએ ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન તેમનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.વધુમાં ટંકારા પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ છ વર્ષ પહેલાં મૃતક આદીવાસી વૃદ્ધાના પતિનું કુદરતી કારણોસર મોત થયું હતુ ત્યારબાદથી તેઓ માનસિક અસ્વસ્થ રહેતા હોય જેને પગલે ગઈકાલે તેમણે ઉપરોક્ત અંતિમ પગલું ભરી લીધું હતું જેથી તેમનું મોત નિપજેલ છે. 

મોરબી જીલ્લાના ટંકારા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મુળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના મનાવર તાલુકાના પીપલટોળા ગામના રહેવાસી અને હાલ અહીં ટંકારાના નેકનામ ગામે ગણેશભાઇની વાડીએ રહેતા સુકીબેન ઉર્ફે પાર્વતીબેન શંકરભાઈ ઠાકોર જાતે આદિવાસી નામની ૭૦ વર્ષીય વૃદ્ધાએ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેણીનું મોત નીપજ્યું હતું. મૃતક સુકીબેનને ત્રણ સંતાનો છે અને છએક વર્ષ પહેલા તેમના પતિ શંકરભાઈનું કુદરતી કારણોસર મોત નિપજ્યા બાદથી મૃતક સુકીબેન ઉર્ફે પાર્વતીબેન માનસિક અસ્વસ્થ રહેતા હોય અને તેને પગલે ગઈકાલે તા.૧૫-૯ ના બપોરે ચારેક વાગ્યે ઝેરી દવા પી લેતા તેમને પડધરી અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાતા ત્યાં રાજકોટ સિવિલ ખાતે તા.૧૫ ના રાત્રીના નવેક વાગ્યાના અરસામાં સુકીબેનનું મોત નીપજ્યું હોવાનું તપાસ અધિકારી એએસઆઇ એમ.કે.બ્લોચ પાસેથી જાણવા મળેલ છે.

દવા પી લેતા પરિણીતા સારવારમાં

મૂળ અમરેલીના અને હાલ મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામ પાસેના એકોર્ડ સિરામીકના લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કરતા રોહિતભાઈ જગુભાઈ ખુમાણના પત્ની સોનલબેન (ઉમર ૨૨) એ માથાના દુખાવાથી કંટાળીને અનાજમાં નાખવામાં બોરીક પાવડરની સાથે વધુ પડતી નીંદરની ગોળીઓ પી લેતા તેમને સારવાર માટે સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા.તેણીનો લગ્નગાળો બે વર્ષનો હોવાનું જાણવા મળેલ છે.બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ જીજ્ઞાશાબેન કણસાગરાએ આગળની તપાસ હાથ ધરી છે.






Latest News