મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

માળીયા (મી) ના વીરવિદરકા પાસે આવેલ સીરામીક કારખાનાની ઓરડીમાં મહિલાએ અંતિમ માર્ગ અપનાવ્યો


SHARE











માળીયા (મી) ના વીરવિદરકા પાસે આવેલ સીરામીક કારખાનાની ઓરડીમાં મહિલાએ અંતિમ માર્ગ અપનાવ્યો

માળીયા મીયાણા તાલુકાની હદમાં આવતા વીરવિદરકા ગામના પાટીયા પાસે સીરામીક કારખાનાની ઓરડીમાં રહેતી મહિલાએ કોઈ કારણોસર ત્યાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેની બોડીને પીએમ માટે માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મૃતક મહિલાના લગ્નને દોઢ વર્ષ જેટલો સમય થયો હોય તેની નોંધ કરી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.

બનાવવાની જાણવા મળતી વિગત મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના રહેવાસી અને હાલમાં માળીયા મિયાણા તાલુકાની હદ માં આવતા વીરવિદરકા ગામના પાટીયા પાસે ક્યુલક્ષ સીરામીક નામના કારખાનામાં મજૂરી કામ કરતા અને ત્યાં ઓરડીમાં રહેતા હેતલબેન જીગરભાઈ કમેજડિયા જાતે કોળી (૨૮)એ લેબર કવાર્ટર ની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે માળિયા મિયાણાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પીએસઆઇ એમ.પી. સોનારા સહિતનો સ્ટાફ ત્યાં હોસ્પિટલે પહોંચ્યો હતો અને મૃતક મહિલાના લગ્ન દોઢ વર્ષ પહેલાં થયા હોવાનું અને તેને સંતાન ન હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે આ બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને મહિલાએ કયા કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે તે દિશામાં હાલમાં તપાસ ચાલી રહી છે.






Latest News