મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ ગામે યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત


SHARE











મોરબીના ઘુંટુ ગામે યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત

મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઘુંટુ ગામે રહેતા યુવાને તેના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજયુ હતું અને મૃતદેને પીએમ માટે ખસેડીને હાલ તાલુકા પોલીસે બનાવની આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસમાંથી મળતી માહિતી મુજબ મોરબીના ઘુંટુ ગામે રહેતા પરેશભાઇ પરસોતમભાઈ સોલંકી નામના ૪૦ વર્ષના યુવાને ગઈકાલ તા.૨૭-૪ ના ૧૦:૩૦ વાગ્યાના અરસામાં તેના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજતા તેના મૃતદેહને અહીંની સિવિલ હોસ્પિટલે પીએમ માટે લાવવામાં આવ્યો હતો બનાવ સંદર્ભે સિવિલ હોસ્પીટલ દ્રારા પોલીસને જાણ કરવામાં આવતા હાલ તાલુકા પોલીસ મથકના જે.પી.વસિયાણીએ પહોંચીને આગળની તપાસ હાથ ધરી હતી.વધુમાં તેઓ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક પરેશભાઈ સોલંકી છૂટક મજૂરી કામ કરતા હતા અને તેમને બે સંતાનો હોય તેમના મોતના પગલે હાલ બાળકોએ પિતાની છત્રછાંયા ગુમાવી હતી ઘરમાં ચાલતા સામાન્ય ઘરકંકાસને લઈને આ બનાવ બન્યો હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે.

દાઝી જતાં સારવારમાં
મોરબી નજીકના નાની વાવડી ગામે દશામાના મંદિર પાસે રહેતા કાંતિભાઈ પુંજાભાઈ મકવાણા (૩૮) નામનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે ત્યાં તેને ઠેસ વાગતા તે ચાલુ સગડી ઉપર પડ્યો હતો જેથી કરીને છાતીના ભાગે લાગી જતા તેને પ્રથમ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે આ યુવાનને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવા આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળથી કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એન.જે. ખડીયા ચલાવી રહ્યા છે






Latest News