મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

મોરબી, ટંકારા, શનાળા અને લજાઈમાં સુવર્ણપ્રાશન ટીપા કેમ્પનો ૨૯૦૦ જેટલા બાળકોએ લાભ લીધો


SHARE











મોરબી, ટંકારા, શનાળા અને લજાઈમાં સુવર્ણપ્રાશન ટીપા કેમ્પનો ૨૯૦૦ જેટલા બાળકોએ લાભ લીધો

આયુર્વેદિક જીવનશૈલી મોરબી દ્વારા દર પુષ્યનક્ષત્ર પર આયુર્વેદિક રસીકરણ એટલે સુવર્ણપ્રાશન ટીપાનો વિનામૂલ્યે કેમ્પ યોજાય છે. જેમાં ગઈકાલે મોરબી કેમ્પમાં ૨૩૩૫ બાળકોએ લાભ લીધો હતો આ ટીપા પીધા બાદ દરેક બાળકોને લાકડાની એન્ટિક ગિફ્ટ પણ આપવામાં આવી હતી સાથે સાથે બાળકોમાં આયુર્વેદ પ્રત્યે રુચિ જાગૃત થાય અને આયુર્વેદને જાણે તે માટેની કોમ્પીટીશનનું પણ આયોજન થયું હતું. તેમાં પણ બાળકોને ઇનામો આપવામાં આવ્યા હતા. આ કેમ્પમાં મુખ્ય આયોજક રાજભાઈ પરમાર, ક્રિષ્નાબેન, અરુણાબેન, ભુપેન્દ્રભાઈ, રીતેશભાઈ, વિનોદભાઈએ સેવા આપી. તથા હિતેશભાઈ પટેલ, શ્રીસોરઠીયા લુહાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ, તથા રાજભાઈ પરમારે આ કેમ્પમાં સહયોગ આપ્યો હતી અને મોરબીની સાથે સાથે શનાળામાં ૫૫ બાળકોએ, ટંકારામાં ૪૨૫ બાળકોએ, લજાઈ ૮૭ બાળકોએ વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ટીપા પીધા હતા આ કેમ્પમાં ગીતાબેન, ચંદ્રકાન્તભાઈએ સેવા આપી હતી






Latest News