મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડ ત્રિમંદિર સામે ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને અંતીમ પગલુ ભર્યુ હોવાનું ખુલ્યુ


SHARE











મોરબીના નવલખી રોડ ત્રિમંદિર સામે ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને અંતીમ પગલુ ભર્યુ હોવાનું ખુલ્યુ

મોરબીના નવલખી રોડ ઉપર જેપુર ગામની પાસે આવેલા ત્રિમંદિર સામે ટ્રેન હડફેટે ચડી જતા યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરતા યુવકે ટ્રેન હેઠળ પડતું મૂકીને અંતિમ પગલું ભર્યું હોવાનું ખુલ્યું છે.


મોરબીના નવલખી રોડ જેપુર ગામની પાસે આવેલા ત્રિમંદિર સામે રેલ્વે ટ્રેક ઉપર ટ્રેન હેઠળ આવી જતા યુવકનું મોત થયું હોવાની ધટના બાબતે રેલ્વે સ્ટેશન માસ્તર વિજેન્દ્રકુમાર બનવારીલાલે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા સ્ટાફના મનીષભાઈ બારૈયાએ પહોંચીને તપાસ હાથ ધરી હતી અને મૃતકનું નામ કરનકુમાર હોવાનું સામે આવ્યું હતું અને બનાવ અંગે વધુમાં તપાસ હાથ ધરતા કોઈ કારણોસર કરનકુમાર (ઉંમર ૩૦) એ ટ્રેન હેઠળ પડતુ મૂકીને જીવનનો અંત આણ્યો હોવાનું તપાસ દરમિયાન ખુલ્યું હતું.

બાઈક સ્લીપ થતાં ઇજા

મોરબીના શનાળા રોડ શ્રદ્ધા હાઇટસ્ ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડની પાસે રહેતા ચંદ્રેશભાઇ વસંતભાઈ શુક્લ નામના ૪૮ વર્ષના આધેડ મોરબીના શનાળા રોડ સત્યમ પાન પાસેથી બાઈક લઈને જતા હતા ત્યારે રસ્તામાં બાઈક પલ્ટી મારી જતા ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે ખસેડાયા હતા જેથી બનાવ સંદર્ભે હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ આગળની તપાસ હાથ ધરી છે.

બે યુવાન સારવારમાં

મોરબીના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે આવેલ વિરાટ પાંઉભાજી નજીક રોડ ઉપરના બમ્પના લીધે બાઇક સ્લીપ થઈ જવાનો અકસ્માત બનાવ બન્યો હતો. જે બનાવવામાં રાહુલ લહેરગર અપારનાથી (ઉંમર ૩૧) રહે.ઉમા ટાઉનશીપ પાસે સામાકાંઠે મોરબી-૨ અને ધવલગિરી રાજેશગીરી મેઘનાથી (ઉમર ૩૦) રહે.પાંડવા ગામ જી.ગીર સોમનાથ વાળાઓને ઇજા થતા અત્રેની મધુરમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News