મોરબીમાં બાવા અહેમદશાની મસ્જિદ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાને સક્ષમ શાળા તેમજ હરીત વિદ્યાલય એવોર્ડ એનાયત મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને બે શખ્સોએ છરી-ધારિયા વડે યુવાન ઉપર કર્યો હુમલો મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા આરોપીના ઘરમાંથી એક પિસ્તોલ-નવ જીવતા કાર્ટિઝ ઝડપાયા, વધુ એક ગુનો નોંધાયો મોરબીના ખેવારીયા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા 16 વર્ષના બાળકનું મોત મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડ ત્રિમંદિર સામે ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને અંતીમ પગલુ ભર્યુ હોવાનું ખુલ્યુ


SHARE











મોરબીના નવલખી રોડ ત્રિમંદિર સામે ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને અંતીમ પગલુ ભર્યુ હોવાનું ખુલ્યુ

મોરબીના નવલખી રોડ ઉપર જેપુર ગામની પાસે આવેલા ત્રિમંદિર સામે ટ્રેન હડફેટે ચડી જતા યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરતા યુવકે ટ્રેન હેઠળ પડતું મૂકીને અંતિમ પગલું ભર્યું હોવાનું ખુલ્યું છે.


મોરબીના નવલખી રોડ જેપુર ગામની પાસે આવેલા ત્રિમંદિર સામે રેલ્વે ટ્રેક ઉપર ટ્રેન હેઠળ આવી જતા યુવકનું મોત થયું હોવાની ધટના બાબતે રેલ્વે સ્ટેશન માસ્તર વિજેન્દ્રકુમાર બનવારીલાલે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા સ્ટાફના મનીષભાઈ બારૈયાએ પહોંચીને તપાસ હાથ ધરી હતી અને મૃતકનું નામ કરનકુમાર હોવાનું સામે આવ્યું હતું અને બનાવ અંગે વધુમાં તપાસ હાથ ધરતા કોઈ કારણોસર કરનકુમાર (ઉંમર ૩૦) એ ટ્રેન હેઠળ પડતુ મૂકીને જીવનનો અંત આણ્યો હોવાનું તપાસ દરમિયાન ખુલ્યું હતું.

બાઈક સ્લીપ થતાં ઇજા

મોરબીના શનાળા રોડ શ્રદ્ધા હાઇટસ્ ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડની પાસે રહેતા ચંદ્રેશભાઇ વસંતભાઈ શુક્લ નામના ૪૮ વર્ષના આધેડ મોરબીના શનાળા રોડ સત્યમ પાન પાસેથી બાઈક લઈને જતા હતા ત્યારે રસ્તામાં બાઈક પલ્ટી મારી જતા ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે ખસેડાયા હતા જેથી બનાવ સંદર્ભે હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ આગળની તપાસ હાથ ધરી છે.

બે યુવાન સારવારમાં

મોરબીના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે આવેલ વિરાટ પાંઉભાજી નજીક રોડ ઉપરના બમ્પના લીધે બાઇક સ્લીપ થઈ જવાનો અકસ્માત બનાવ બન્યો હતો. જે બનાવવામાં રાહુલ લહેરગર અપારનાથી (ઉંમર ૩૧) રહે.ઉમા ટાઉનશીપ પાસે સામાકાંઠે મોરબી-૨ અને ધવલગિરી રાજેશગીરી મેઘનાથી (ઉમર ૩૦) રહે.પાંડવા ગામ જી.ગીર સોમનાથ વાળાઓને ઇજા થતા અત્રેની મધુરમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News