મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબી છે કે, યુપી-બિહાર ?: શહેરના સરદાર રોડ ઉપર જુના બસ સ્ટેશન નજીક છરીના ઘા ઝીકીને બે શખ્સોએ કરી વિપ્ર યુવાનની હત્યા


SHARE











મોરબી છે કે, યુપી-બિહાર ?: શહેરના સરદાર રોડ ઉપર જુના બસ સ્ટેશન નજીક છરીના ઘા ઝીકીને બે શખ્સોએ કરી વિપ્ર યુવાનની હત્યા

મોરબીમાં સરદાર રોડ ઉપર આવેલ ખોડીયાર પાન સામેની શેરીમાં અજાણ્યા બે શખ્સોએ છરીના ઘા ઝીકીને યુવાનની હત્યા કરી નાખી છે જેથી મૃતકના ડેડબોડીને પીએમ માટે મોરબી સિવિલે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની મોરબી એ ડિવીઝન પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી મહિતી મુજબ મોરબીની જાની શેરીમાં રહેતા હિરેન જગદીશભાઈ ભટ્ટ ઉંમર વર્ષ 32 નામના યુવાનની હત્યા કરવામાં આવી છે અને તેની હત્યા કરીને બે અજાણ્યા શખ્સો ફરાર થઇ ગયા છે હાલમાં સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ હત્યાના આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરતા પીઆઇ સહિતનો કાફલો ઘટના સ્થળ પહોંચી ગયો છે અને પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે જો કે, મોરબીમાં સરદાર રોડ ઉપર આવેલ ખોડીયાર પાન સામેની શેરીમાં અજાણ્યા બે શખ્સોએ છરીના ઘા ઝીકીને શા માટે યુવાનની હત્યા કરી છે તેની વિગતો સામે આવી નથી પરંતુ મોરબી શહેરમાં હત્યા, હત્યાનો પ્રયાસ, ખુની હુમલા, મારામારી, દુષ્કર્મ, ચોરી વગેરે જેવી ઘટનાઓએ છેલ્લા થોડા સમયથી માજા મૂકી હોય મોરબી શહેર યુપી-બિહારના પંથે હોય તેવું દેખાઈ રહ્યું છે અને પોલીસના અસ્તિત્વ સામે સવાલ ઉભા થાય તેમા શંકાને કોઇ સ્થાન નથી.






Latest News