મોરબીમાં બાવા અહેમદશાની મસ્જિદ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાને સક્ષમ શાળા તેમજ હરીત વિદ્યાલય એવોર્ડ એનાયત મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને બે શખ્સોએ છરી-ધારિયા વડે યુવાન ઉપર કર્યો હુમલો મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા આરોપીના ઘરમાંથી એક પિસ્તોલ-નવ જીવતા કાર્ટિઝ ઝડપાયા, વધુ એક ગુનો નોંધાયો મોરબીના ખેવારીયા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા 16 વર્ષના બાળકનું મોત મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વરમાં થયેલ એટ્રોસીટી-ખુની હુમલાના કેસમાં આરોપીઓના જામીન મંજુર


SHARE











મોરબીના રફાળેશ્વરમાં થયેલ એટ્રોસીટી-ખુની હુમલાના કેસમાં આરોપીઓના જામીન મંજુર

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેસ રફાડેશ્વરમાં થયેલ એટ્રોસીટી અને ખુની હુમલાના બનાવમાં આરોપીઓનો કોર્ટમાં જામીન ઉપર છુટકારો થયો હતો.આ કામના આરોપીઓ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ ફરીયાદ નોંધાવેલ હતી કે, ફરીયાદીના મીત્ર સાથે રફાડેશ્વરના યતીશભાઈ સાથે અગાઉ છએક દીવસ પહેલા બોલાચાલી તથા ઝઘડો થયેલ તેનુ સમાધાન કરવા માટે ફરીયાદી તથા સાહેદો જતા આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ ફરીયાદી તથા સાહેદોને ગાળો આપી હથીયારો-પથ્થરો તથા છરી વડે ઈજા કરેલ હોય અને ફરીયાદીને ગાળો બોલી જ્ઞાતી પ્રત્યે જાહેરમાં અપમાનીત કરી ગુન્હામાં એકબીજાને મદદગારી કરી જીલ્લા મેજીસ્ટ્રેટના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ હોય.જેથી પ્રકાશભાઈ ભગવાનજીભાઈ તથા ગજેન્દ્રભાઈ રમેશભાઈની ધરપકડ થયેલ તેઓએ મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા મારફત નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવવા જામીન અરજી કરૂ હતી.

આરોપી તરફે દલીલ કરવામાં આવેલી કે આરોપી તદન નીર્દોષ છે.આરોપી કુટુંબ કબીલાવાળા માણસો છે.આરોપી વિરુદધ રાગદ્વેષ રાખી આ ફરીયાદમાં ખોટી રીતે ગંભીર પ્રકારના ગુનામાં સંડોવી દીધેલ છે.આરોપીઓએ આ કામના ફરીયાદીને માર મારેલ હોય કે જાતી પ્રત્યે અપમાનીત કરેલ નથી કે જાનથી મારી નાખવાની ધમકી આપેલ નથી.આ બનાવમાં આરોપીએ સીધી કે આડકતરી રીતે કોઈ ભાગ ભજવેલ નથી.આરોપીને પ્રી-ટ્રાયલ પનીશમેન્ટ થાય તેમ છે.તેમજ સુપ્રીમ કોર્ટના વીવીધ ચુકાદાઓને ધ્યાને લઈ આરોપીને જામીન ઉપર મુકત કરવા દલીલો કરેલ.બન્ને પક્ષની તમામ દલીલોને ધ્યાને લઈ આરોપી પક્ષની દલીલ માન્ય રાખી આરોપીઓને શરતી જામીન ઉપર છોડવાનો હુકમ કરવામાં આવેલ છે.આરોપી તરફે સીનીયર એડવોકેટ દીલીપ અગેચાણીયા, ગુજરાત હાઈકોર્ટના યુવાન એડવોકેટ સાવનભાઈ મોઘરીયા રોકાયેલ હતા.






Latest News