મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીમાં વિશ્વ પુસ્તક દિન નિમિત્તે નીલકંઠ વિદ્યાલયમાં કવિ સંમેલન યોજાયું


SHARE











મોરબીમાં વિશ્વ પુસ્તક દિન નિમિત્તે નીલકંઠ વિદ્યાલયમાં કવિ સંમેલન યોજાયું

મોરબીમાં નીલકંઠ વિધાલય ખાતે પુસ્તક દિન નિમિતે 'ભારતીય વિચાર મંચ-મોરબી' દ્રારા કવિ સંમેલન યોજાયું હતુ.જેમાં મોરબીના ૧૫ જેટલાં લોકપ્રિય કવિઓની 'સાંપ્રત કે શાશ્વત ભારતીય સત્ત્વ તત્ત્વ' વિષય પર  સ્વરચિત કૃતિઓ રજૂ કરી હતી.જેનો  મોરબીના સાહિત્યપ્રેમી નગરજનોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.

કાવ્યધારામાં તરબોળ કરનારા કવિઓમાં કવિ બીપીન"મધુર", શૈલેન મહેતા, કવિ જલરૂપ, ડૉ.ભાવેશ જેતપરીયા, સંજયભાઈ બાપોદરીયા "સંગી", જયેશભાઇ બાવરવા, કવિયત્રી ઉષાબેન જાદવ, જાગૃતિ તન્ના "જાનકી", સાહિત્ય મર્મી અમૃતલાલ કાંજિયા, આંબાલાલ પટેલ, રાજેશભાઈ વ્યાસ, કવિયત્રી જીવતીબેન પીપલિયા, મેહુલભાઈ બારોટ, નિરજભાઈ ત્રિવેદી, રવીન્દ્રભાઈ ત્રિવેદી, શૈલેષભાઈ કાલરિયા, ડો.વિજય ગઢીયા વિગેરે હાજર રહ્યા હતા.તમામ કવિઓએ પોતાના અલગ અંદાજમાં કાવ્યપઠન દ્વારા દાદ મેળવી હતી

આ પ્રસંગે ખાસ ડૉ.ભાડેશિયાની પ્રેરણાત્મક ઉપસ્થિતિ રહી અને ડૉ.સતીશભાઈ પટેલનું મનનીય પ્રવચન અને નવોદિત કવિઓને સાહિત્યિક માર્ગદર્શન સાંપડ્યું હતુઅને સાહિત્ય અને કવિતા ક્ષેત્રે આગળ વધવા સૌ કવિમિત્રોને આશીર્વાદ અને અભિનંદન આપ્યા હતા.નીલકંઠ વિદ્યાલયના સંચાલક જીતુભાઈ વડસોલાએ ખાસ હાજરી આપી હતી.આ સાથે સાહિત્ય આયામના શૈલેષ કાલરિયાએ ભારતીય વિચારમંચ દ્વારા પ્રકાશિત પુસ્તકોની પુસ્તક વેચાણની 'શુભેચ્છક ગ્રાહક મિત્ર યોજના'નો શુભારંભ થયો. જેના સૌ પ્રથમ ગ્રાહક નિલેશભાઈ કૈલા બન્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવામાં  ભારતીય વિચાર મંચના સક્રિય કાર્યકરો જશવંતભાઈ મીરાણી, મીલનભાઈ પૈડા, ચિરાગભાઈ આદ્રોજા, ઉમેશભાઈ પટેલ, પાર્થ શેરસિયાએ જહેમત ઉઠાવી હતી.વિચાર મંચ દ્વારા કવિઓને સન્માનપત્ર આપી પુરસ્કૃત કર્યા હતા. કવિ જલરૂપે કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું.તેમ ભારતીય વિચારમંચના શૈલેષ કાલરિયાએ જણાવેલ છે






Latest News