મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીની રફાળેશ્વર જીઆઇડીસીમા કારખાનાના ચોકીદારનું દરવાજો ખોલતા સમયે જ મોત


SHARE







મોરબીની રફાળેશ્વર જીઆઇડીસીમા કારખાનાના ચોકીદારનું દરવાજો ખોલતા સમયે જ મોત

મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ જીઆઇડીસીમા કારખાનનો ચોકીદાર દરવાજો ખોલતા સમયે નીચે પડી ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક હોસ્પિટલે લઈને આવ્યા હતા જો કે, ફરજ ઉપરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતાં આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે આવેલ જીઆઇડીસીમા મેટાટેક ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં રહેતા અને ત્યાં ચોકીદાર તરીકે કામ કરતાં શ્રીહરી બહાદુર પરીપાળ (૪૩) શનિવારે સાંજે ચારેક વાગ્યાના અરસામા ફેક્ટરીનો મેઈન ગેઇટ ખોલવા જતા પડી ગયા હતા જેથી કરીને તેનું મૃત્યુ નીપજ્યું હતું. અને ત્યાર બાદ તેના બોડીને કારખાનેદાર મોરબી સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી

હાર્ટ એટેકથી મોત

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ ઓમેન સિરામિક ફેકટરીમાં કામ કરતા સનાતનભાઈ બાદલભાઈ દલાઈ (૩૩) ગઈકાલે પોતાના રૂમે જમીને બેઠા હતા ત્યારે અચાનક છાતીમાં દુખાવો ઉપડતા ૧૦૮ મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યાહતા ત્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જણા કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News