મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીની રફાળેશ્વર જીઆઇડીસીમા કારખાનાના ચોકીદારનું દરવાજો ખોલતા સમયે જ મોત


SHARE











મોરબીની રફાળેશ્વર જીઆઇડીસીમા કારખાનાના ચોકીદારનું દરવાજો ખોલતા સમયે જ મોત

મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ જીઆઇડીસીમા કારખાનનો ચોકીદાર દરવાજો ખોલતા સમયે નીચે પડી ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક હોસ્પિટલે લઈને આવ્યા હતા જો કે, ફરજ ઉપરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતાં આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે આવેલ જીઆઇડીસીમા મેટાટેક ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં રહેતા અને ત્યાં ચોકીદાર તરીકે કામ કરતાં શ્રીહરી બહાદુર પરીપાળ (૪૩) શનિવારે સાંજે ચારેક વાગ્યાના અરસામા ફેક્ટરીનો મેઈન ગેઇટ ખોલવા જતા પડી ગયા હતા જેથી કરીને તેનું મૃત્યુ નીપજ્યું હતું. અને ત્યાર બાદ તેના બોડીને કારખાનેદાર મોરબી સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી

હાર્ટ એટેકથી મોત

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ ઓમેન સિરામિક ફેકટરીમાં કામ કરતા સનાતનભાઈ બાદલભાઈ દલાઈ (૩૩) ગઈકાલે પોતાના રૂમે જમીને બેઠા હતા ત્યારે અચાનક છાતીમાં દુખાવો ઉપડતા ૧૦૮ મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યાહતા ત્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જણા કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News