મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીમાં પિતરાઇ ભાઈના સમાધાનમા સાથે ગયેલા યુવાનને ચાર શખ્સોએ માર માર્યો


SHARE











મોરબીમાં પિતરાઇ ભાઈના સમાધાનમા સાથે ગયેલા યુવાનને ચાર શખ્સોએ માર માર્યો

મોરબી નજીકના નાગલપર ગામે રહેતો યુવાન તેના પિતરાઇ ભાઈના જુના ઝઘડામાં સમાધાન માટે સાથે ગયો હતો જે આરોપીઓને સારું નહીં લાગતા ચાર શખ્સો દ્વારા તેને ગાળો આપીને ઢીકાપાટુનો પીઠ અને પેટના ભાગે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લીધા બાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નાગલપર ગામે રહેતા મોહનભાઈ પ્રેમજીભાઈ મકવાણા જાતે કોળી (૨૭) એ વિશાલ બટુકભાઈ ઉંચાણા, અતુલ બટુકભાઈ ઉંચાણા, સતીશભાઈ બટુકભાઈ ઉંચાણા અને દિલીપભાઈ બાબુભાઈ કોરડીયા રહે. બધા અમરાપર ગામ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીની પંચાસર ચોકડી પાસે ડીલક્ષ પાન નજીક ચારેય શખ્સો દ્વારા તેને ગાળો આપીને પેટ અને પીઠના ભાગે ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાન દ્વારા સારવાર લીધા બાદ ચારેય શખ્સોની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદી તેના પિતરાઈ ભાઈના જુના ઝઘડામાં સમાધાન કરાવવા માટે સાથે ગયો હતો જે આરોપીઓને સારું લાગ્યું ન હતું જે બાબતનો ખાર રાખીને તેણે ફરિયાદી યુવાનને માર માર્યો છે જેથી કરીને પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

અપહરણના ગુનામાં આરોપીની ધરપકડ
મોરબી તાલુકાની હદમાં આવતા સરતાનપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં ઉજ્જૈન જિલ્લાના તરાના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું તે સગીરા અને તેની સાથે આરોપી હોવાની બાતમી મળી હતી જેના આધારે ત્યાંથી પોલીસ મોરબી આવી હતી અને સ્થાનિક પોલીસને સાથે રાખીને સરતાનપર રોડ ઉપર આવેલ મોટો સીરામીક કારખાનામાં ચેક કરવામાં આવતા ત્યાંથી ભોગ બનેલ સગીરા મળી આવી હતી અને આરોપી હંસરાજ દિલીપભાઈ સિસોદિયા (૧૮) રહે.નટવર દેવાસર રોડ ઉજ્જૈન એમપી વાળો પણ મળી આવતા પોલીસે સગીરાને કબજામાં લઈને આરોપીની ધરપકડ કરી હતી અને હાલમાં ઉજ્જૈન પોલીસને આરોપી તેમજ સગીરા સોંપ્યા હોવાનું મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી જાણવા મળ્યું છે.






Latest News