મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

વાંકાનેરના જાલીડા પાસે કારખાનાની દીવાલ માથે પડતાં મજૂર યુવાનનું મોત


SHARE







વાંકાનેરના જાલીડા પાસે કારખાનાની દીવાલ માથે પડતાં મજૂર યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાં આવેલ કારખાનામાં દિવાલ માથા ઉપર પડવાથી મજુર યુવાન નીચે દટાઈ ગયો હતો જેથી કરીને તેને ઇજાઓ થવાના કારણે તેનું મોત નિપજ્યું હતું.આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આવેલી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરે છે. 

બનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાં એન્ટિક ફાર્મ નામનું કારખાનું આવેલ છે જ્યાં મજૂરીકામ કરતાં મૂળ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટી વાવ ગામના રહેવાસી નરવતભાઈ સોમાભાઈ બારીયા જાતે આદિવાસી (ઉંમર ૩૫) ના માથા ઉપર દીવાલ પડી હતી જેથી કરીને તેઓેને દિવાલ નીચે દટાઈ જવાથી માથામાં ગંભીર ઈજા થવાના કારણે તેનું મોત નીપજયું હતું માટે તેના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News