મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં કારખાનામાં રહેતા ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવેલ ન હોય લાગી આવતા ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારાના ઘૂનડા (સ) ગામે રહેતી પરણીતા રિસામણે બેઠેલ હોય સાળાએ બનેવીને ફોન ઉપર અને છરી બતાવીને આપી જાનથી મારી નાખવાની ધમકી ટંકારાના મીતાણા ગામ પાસે કાર ચાલકે ઉડાવતા પોતાના ખેતરના શેઢે ઊભેલા યુવાનનું મોત મોરબીના લાલપર ગામે ઇશાન કોમ્પ્લેક્ષમાં જુગાર રમતા પાંચ પકડાયા: 1 લાખથી વધુની રોકડ કબજે મોરબીમાં વધુ એક હત્યા : રંગપર નજીક મહિલાનું મર્ડર, છ માસના ટૂંકા ગાળામાં ૧૨ જેટલી હત્યાથી ભયનો માહોલ
Breaking news
Morbi Today

મોરબીમાં ડી.સી.મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી એમડી ડોક્ટર સાથે ફરી શરૂ કરવામાં આવી


SHARE









મોરબીમાં ડી.સી.મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી એમડી ડોક્ટર સાથે ફરી શરૂ કરવામાં આવી

મોરબીમાં શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત ડી.સી.મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી નવા ડેલા રોડ ખાતે વધુ એક શરૂ કરવામાં આવી છે ત્યારે આ સુવિધાનો જ્ઞાતિજનો તથા મોરબી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો લાભ લઈ શકે છે

હાલમાં કોરાનાનાં કેઇસ વધી રહ્યા છે ત્યારે લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે તેવા સમયે તા. ૧/૪ થી નવા ડેલા રોડ ઉપર આવેલ મોરબીમાં શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત ડી.સી.મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી શરૂ કરવામાં આવી છે અને જ્ઞાતિની જનરલ મિટિંગમાં તેની જાહેરાત કરવામાં આવી છે અને એમ.ડી. ડોક્ટર ડિસ્પેનસરીમાં નિયમિત સેવા આપવા માટે આવશે જેમાં મોરબીની સત્યમ હોસ્પિટલના બે એમ.ડી. ડોકટરો અઠવાડિયામાં એક વખત આવશે અને દર્દીઓના દર્દનું નિદાન કરશે ત્યારે દર મંગળવારે સાંજે ૪ થી ૫ ડો.પુનિત પડસુંબિયા (એમ.ડી. જેરીયા ટ્રિક ફિઝિશયન) કે જે મોટી ઉમરે થતા રોગોના નિષ્ણાંત છે જેઓ શારીરિક નબળાઈ, ચક્કર આવવા, ડાયાબિટિસ, બી.પી, લકવો,પેશાબ કિડની, પેટની જૂની કબજિયાત, કંપવા, માનસિક બીમારી, ભૂલવાની બીમારીઓની સારવાર અને નિદાન કરશે તેમજ દર શુક્રવારે સાંજે ૪ થી ૫ સુધી ડો.ધર્મેશ ભાલોડિયા (એમ.ડી. મેડીસીન) કે, જે હદય ફેફસાં, સુગર, બી.પી, થાઇરોઇડ, જૂના તાવ, ઇન્ફેક્શન, પેટ લીવરના રોગો, લોહીના રોગો, મગજની બીમારી વગેરેના નિષ્ણાંત નિદાન કરશે અને જ્ઞાતિજનો માટે આ સેવા ટોકન ચાર્જ રૂપિયા ૫૦ થી રાખવામા આવી છે અને અન્ય દર્દીઓ માટે ૧૦૦ રૂપિયા ચાર્જ રાખવામા આવેલ છે અને નિયત કરેલા બે દિવસ સિવાયના દિવસે કોઈ જ્ઞાતિજનને સત્યમ હોસ્પિટલમાં બતાવવા જવું હોઈ તો ડિસ્પેનસરીમાંથી કેઇસ કઢાવી ત્યાં બતાવવા જઈ શકશે તેવું ડિસ્પેન્સરીના સંચાલકોએ જણાવ્યુ છે






Latest News