મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોના કલ્યાણ અર્થે હનુમાન જયંતિએ ધૂન યોજાશે


SHARE







મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોના કલ્યાણ અર્થે હનુમાન જયંતિએ ધૂન યોજાશે

મોરબીમાં ઝૂલતા પુલ  દુર્ઘટનામાં જે લોકોએ જીવ ગુમાવેલ છે તે દિવંગત આત્માનાં કલ્યાણ અર્થે અને તેમની સદગતિ માટે હનુમાન જયંતિના દિવસે મોરબીની વિશ્વકર્મા સોસાયટીમાં આવેલ વિશ્વેશ્વર બાલાજીના સાનિધ્યમાં ધૂન રાખેલ છે તેમજ મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીની વિશ્વકર્મા સોસાયટીમાં આવેલ વિશ્વેશ્વર બાલાજીના સાનિધ્યમાં હનુમાન જયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે અને તા ૬ ના રોજ સવારે ૯ કલાકે ધજાનું પૂજન કરીને ચડાવવામાં આવશે ત્યાર બાદ બપોરના ધૂન અને સાંજે ચારથી છ સુંદરકાંડના પાઠનું આયોજન છે અને છ વાગ્યે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સાંજે સાત વાગ્યે રાજાભાઈ વિનોદભાઈ લખતરિયા તરફથી સહયોગ આપીને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને બાદમાં રાત્રે ઝૂલતા પુલ  દુર્ઘટનામાં જે લોકોએ જીવ ગુમાવેલ છે તે દિવંગત આત્માનાં કલ્યાણ અર્થે અને તેમની સદગતિ માટે ધૂન રાખેલ છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સોસાયટીના પ્રમુખ એ.કે. ઠોરિયા સહિતની ટિમ જહેમત ઉઠાવી રહી છે






Latest News