વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં કારખાનામાં રહેતા ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવેલ ન હોય લાગી આવતા ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારાના ઘૂનડા (સ) ગામે રહેતી પરણીતા રિસામણે બેઠેલ હોય સાળાએ બનાવીને ફોન ઉપર અને છરી બતાવીને આપી જાનથી મારી નાખવાની ધમકી ટંકારાના મીતાણા ગામ પાસે કાર ચાલકે ઉડાવતા પોતાના ખેતરના શેઢે ઊભેલા યુવાનનું મોત મોરબીના લાલપર ગામે ઇશાન કોમ્પ્લેક્ષમાં જુગાર રમતા પાંચ પકડાયા: 1 લાખથી વધુની રોકડ કબજે મોરબીમાં વધુ એક હત્યા : રંગપર નજીક મહિલાનું મર્ડર, છ માસના ટૂંકા ગાળામાં ૧૨ જેટલી હત્યાથી ભયનો માહોલ મોરબીમાં મિત્ર સાથે થયેલ ઝઘડાનો ખાર રાખીને ત્રણ શખ્સોએ યુવાનને પડખા અને હાથના ભાગે છરીના આડેધડ ઘા ઝીંક્યા મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોના કલ્યાણ અર્થે હનુમાન જયંતિએ ધૂન યોજાશે


SHARE









મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોના કલ્યાણ અર્થે હનુમાન જયંતિએ ધૂન યોજાશે

મોરબીમાં ઝૂલતા પુલ  દુર્ઘટનામાં જે લોકોએ જીવ ગુમાવેલ છે તે દિવંગત આત્માનાં કલ્યાણ અર્થે અને તેમની સદગતિ માટે હનુમાન જયંતિના દિવસે મોરબીની વિશ્વકર્મા સોસાયટીમાં આવેલ વિશ્વેશ્વર બાલાજીના સાનિધ્યમાં ધૂન રાખેલ છે તેમજ મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીની વિશ્વકર્મા સોસાયટીમાં આવેલ વિશ્વેશ્વર બાલાજીના સાનિધ્યમાં હનુમાન જયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે અને તા ૬ ના રોજ સવારે ૯ કલાકે ધજાનું પૂજન કરીને ચડાવવામાં આવશે ત્યાર બાદ બપોરના ધૂન અને સાંજે ચારથી છ સુંદરકાંડના પાઠનું આયોજન છે અને છ વાગ્યે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સાંજે સાત વાગ્યે રાજાભાઈ વિનોદભાઈ લખતરિયા તરફથી સહયોગ આપીને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને બાદમાં રાત્રે ઝૂલતા પુલ  દુર્ઘટનામાં જે લોકોએ જીવ ગુમાવેલ છે તે દિવંગત આત્માનાં કલ્યાણ અર્થે અને તેમની સદગતિ માટે ધૂન રાખેલ છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સોસાયટીના પ્રમુખ એ.કે. ઠોરિયા સહિતની ટિમ જહેમત ઉઠાવી રહી છે






Latest News