મોરબીના રામનવમીએ ફરાળી લોટની વાનગી ખાધા પછી ૨૦ થી વધુ લોકોને ફૂડ પોઇઝનિગ
મોરબીમાં રોલા-રાતડીયાની વાડીથી ૨૭ કરોડનું ભૂગર્ભનું કામ શરૂ
SHARE
મોરબીમાં રોલા-રાતડીયાની વાડીથી ૨૭ કરોડનું ભૂગર્ભનું કામ શરૂ
મોરબી નગરપાલિકા વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૨૭ કરોડના ખર્ચે ભૂગર્ભગટરની યોજના મંજૂર કરવામાં આવેલ છે જે પાલિકાના તમામ હોદ્દેદારોના સાથ સહકારથી કામ શક્ય બનેલ છે. ત્યારે આજરોજ વોર્ડ નં-૧૧ માં આવેલ રોલા-રાતડીયાની વાડીથી આ કામ ચાલુ કરી આપેલ છે. અને આ કામનું મહુર્ત છગનભાઈ વિરજીભાઈ પરમારના હસ્તે શ્રીફળ વધેરીને કરવામાં આવ્યું હતું ત્યારે આ વિસ્તારના ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા અને આ કામ મંજૂર કરાવવા બદલ મોરબીના ધારાસભ્ય અને સંગઠનના સૌ આગેવાનો પાલિકાના પ્રમુખ કે.કે. પરમાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે