હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ભુજથી સાબરમતી સમર સ્પેશિયલ ઇન્ટરસિટી ટ્રેન દોડશે: વિનોદચાવડા


SHARE











ભુજથી સાબરમતી સમર સ્પેશિયલ ઇન્ટરસિટી ટ્રેન દોડશે: વિનોદચાવડા

સાંસદ તથા કચ્છના જન અને લોક માંગણીને ધ્યાને લઈ તા.૭ એપ્રિલ ૨૦૨૩ થી ભુજ - સાબરમતી વચ્ચે સમર સ્પેશિયલ ઈંટરસીટી શરૂ આવશે જેથી કરીને કચ્છથી અમદાવાદ જવા માટે મુસાફરોને ફાયદો થશે

કચ્છ અને અમદાવાદ વચ્ચે એક જ દિવસમાં પોતાનું કામ પૂર્ણ કરી પરત આવન જાવન થઈ શકે માટે ખૂબ જ લાંબા સમય થી કચ્છની જનતા વતી સાંસદ દ્વારા કેન્દ્ર સરકાર પાસે અવાર નવાર રજૂઆતો કરવામાં આવતી કચ્છના જન પ્રતિનિધિઓ દ્વારા પણ સરકાર અને સાંસદ પાસે રજૂઆતો કરવામાં આવતા તા. ૭/૪/૨૩ થી ભુજ સાબરમતી (ટ્રેન નંબર-૦૯૪૫૬) સવારે ૬:૫૦ થી નીકળી બપોરે ૧:૩૦ સાબરમતી પહોંચશે તેવીજ રીતે સાબરમતી થી (ટ્રેન નંબર-૦૯૪૫૫) સાંજે ૫:૪૦ વાગ્યે રવાના થઈ રાત્રે ૧૧:૫૦ મિનિટે ભુજ આવશે. બસ અને લક્ઝરીઓમાં કંટાળા જનક પ્રવાસને બદલે લોકોની તકલીફો, સમય તથા મોંઘા ભાડાથી પ્રજાને રાહત થશે. અને વેપાર વણજ જેવા કાર્યોના મુખ્ય હબ અમદાવાદમાં કામ પતાવી પરત કચ્છ એક જ દિવસમાં આવી શકાશે.

ભુજ - સાબરમતી સમર સ્પેશિયલ ઈંટરસીટી ટ્રેન શરૂ થતાં સાંસદશ્રી એ ખુશી વ્યક્ત કરતાં ઉપરોક્ત બાબતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવજી અને રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોષ તથા રેલ્વે મંત્રાલયનો આભાર માન્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા કચ્છ પ્રત્યે સદૈવ સંવેદનશીલ અભિગમ ધરાવી કચ્છની જનતાની માંગણીઓને પ્રાધાન્ય અપાય છે તેવું સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું.






Latest News