મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું મોરબીના મોડપર ગામે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના રામનવમીએ ફરાળી લોટની વાનગી ખાધા પછી ૨૦ થી વધુ લોકોને ફૂડ પોઇઝનિગ


SHARE











મોરબીના રામનવમીએ ફરાળી લોટની વાનગી ખાધા પછી ૨૦ થી વધુ લોકોને ફૂડ પોઇઝનિગ

મોરબીમાં રામનવમીના દિવસે લોકો ફરાળી લોટની વાનગી ભોજનમાં લેતા હોય છે તેવી જ રીતે મોરબીના જુદાજુદા વિસ્તારમાં રહેતા લોકોએ સિંગોળાના લોટમાંથી બનેલ ફરાળી વાનગી ખાધી હતી ત્યાર બાદ ફૂડ પોઈઝનિગ થયું હતું જેથી કરીને ૨૦થી વધુ લોકોને ઉલ્ટી થવા લાગી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પીટલ, નક્ષત્ર હોસ્પીટલ સહિતના સ્થળે લઈને આવ્યા હતા અને એક મહિલાને વધુ સારવારમાં માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે

મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પીટલ અને નક્ષત્ર હોસ્પીટલમાં ૨૦ જેટલા લોકોને સારવાર માટે લઈને આવ્યા હતા તેવું સ્થાનિક હોસ્પિટલના સ્ટાફ પાસેથી જાણવા મળ્યું છે તેવી જ રીતે મોરબીમાં આવેલ અવધ સોસાયટીમાં રહેતા જયદીપભાઈના પરિવારજનોએ દ્વારા રામનવમીના દિવસે ઉપાવસ કરવામાં આવ્યો હતો અને તેઓએ સિંગોળાના ફરાળી લોટની વાનગી બનાવીને તેઓ ભોજનમાં લીધી હતી જેથી કરીને દિપ્તીબેન જતીનભાઈ, બીનાબેન જયદીપભાઈ, પ્રાચી જયદીપભાઈ, જતીનભાઈ મહેન્દ્રભાઈ અને ભાવનાબેન મહેન્દ્રભાઈને ઉલ્ટીઓ થવા લાગી હતી જેથી તેને સારવાર માટે શ્યામ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાંથી ભાવનાબેન મહેન્દ્રભાઈને વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પીટલમાં લઈને ગયા છે 






Latest News