મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના નિમા એસો.ના ડોક્ટરોએ જાણીતા વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયાની સાથે કરી ગોષ્ઠિ-સંભાષણ


SHARE











મોરબીના નિમા એસો.ના ડોક્ટરોએ જાણીતા વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયાની સાથે કરી ગોષ્ઠિ-સંભાષણ

મોરબી ખાતે આયુર્વેદ કથા કરવા આવેલ જાણીતા વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયાએ નિમા-મોરબીના ડૉકટર મિત્રોના આગ્રહવશ રોકાણ લંબાવીને પોતાનો અમૂલ્ય સમય ગોષ્ઠિ માટે ફાળવ્યો હતો.આ પ્રસંગે મોરબી નિમા પ્રમુખ ડૉ.હાર્દિક જેસ્વાણીએ વૈદ્ય મહેન્દ્રસિંહનું શાલ ઓઢાળી સ્વાગત-સન્માન કરેલ અને મોરબીના પ્રખ્યાત નગર દરવાજાની ઘડિયાળ યાદગીરી રૂપે ભેટ આપેલ.અષ્ટાંગ આયુર્વેદ ધામ તળાજાનાં પ્રખ્યાત વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયા શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા કરે છે.કોરોના સમયે પોતાની સરકારી નોકરીના સ્થળે આયુર્વેદ સારવારથી આખા ગામમાંથી એકપણ મૃત્યુ ન થવા દીધેલ. ત્યારબાદ ઘણા બધા મ્યુકર-ફંગસનાં દર્દીઓને વગર ઓપરેશને સંપૂર્ણ સાજા કરેલ. હાલ તેઓ તળાજા ખાતે અષ્ટાંગ આયુર્વેદ ધામ નામે સંકુલ ચલાવે છે. 

વૈદ્ય મહેન્દ્રસિંહને સાંભળવા સિનિયર ડૉ.બી.કે.લહેરૂ, ડૉ.શાંતિલાલ ગોપાણી, ડૉ.જયેશ રામાવત, ડૉ.પરીક્ષિત જોબનપુત્રા, ડૉ.સંજય નિમાવત, ડૉ.ધર્મેશ ગામી, ડૉ.રમેશ ડાભી વગેરે હાજર રહેલ.તે ઉપરાંત ડૉ.કૌશિક કાલરીયા, ડૉ. ધનરાજ મોદી, ડૉ.ધર્મેન્દ્ર ધોરીયાણી, ડૉ.ડાર્વિન પટેલ, ડૉ.કૌશિક ગોસ્વામી, ડૉ.ચિરાગ વિડજા, ડૉ.તરૂણ પટેલ, ડૉ.હર્ષ અંબાસણા, ડૉ.અભિષેક પટેલ, ડૉ.પરેશ ડાભી, ડૉ.અંકિતા ભીમાણી, ડૉ.મનોજ ભાડજા, ડૉ.કશ્યપ શેરસીયા, ડૉ.મિલન ઓગણજા વિગેરેએ પ્રશ્નોતરી કરેલ.નિમાના મેમ્બર્સ ડોકટરો માટે આ પ્રકારની જ્ઞાનવર્ધક ગોષ્ઠિઓનું આયોજન શરૂ રાખવા પ્રમુખ ડૉ.હાર્દિક જેસ્વાણી દ્વારા જણાવવામાં આવેલ છે.






Latest News