વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન
Breaking news
Morbi Today

મોરબીમાં સરસ્વતી શિશુમંદિર શનાળા મુકામે કાવ્યકુંભ કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીમાં સરસ્વતી શિશુમંદિર શનાળા મુકામે કાવ્યકુંભ કાર્યક્રમ યોજાયો

મોરબીના શનાળા ગામે આવેલ સરસ્વતી શિશુમંદિર શનાળા અંતર્ગત ચાલતાં માધ્યમિક વિભાગના ધો. ૯ નાં વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ સુંદર અને ક્યારેય કોઈ શૈક્ષણિક સંસ્થાઓમાં ન થયો હોય તેવો કાવ્યકુંભકાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો આ કરવા પાછળનાં ઉદેશ્યો તેમજ વિદ્યાર્થીઓની અંદર રહેલ સર્જન શક્તિ કેવી રીતે બહાર લાવવી તે અંગેની વાત સુનિલભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે જિલ્લા શિક્ષણાધિકારી નિલેશભાઈ રાણીપા, જવાહર નવોદય વિદ્યાલયના પ્રિન્સિપાલ રવિન્દ્રભાઈ બોરોલે તેમજ સ્વરાંગન સ્ટુડિયોનાં સંગીત પ્રેમી એવા હંસરાજભાઈ ગામી હાજર રહ્યા હતા ત્યારે શિક્ષણાધિકારી નિલેશભાઈએ ભાષાને બચાવવા માટેનાં આવા કાર્યક્રમો શિશુમંદિર વિદ્યાલય કરી રહ્યું છે, તે ખરેખર બિરદાવવા લાયક છે અને હંસરાજભાઈ પણ કાર્યક્રમથી ખૂબ જ પ્રભાવિત થયા હતા આ કાર્યક્રમની વિશેષતાએ હતી કે આ કાર્યક્રમ કોઈ કેસેટ કે ઓડિયો દ્વારા રજુ થયો ન હતો, આ આખા કાર્યક્રમની બધી જ કૃતિ વિદ્યાર્થીઓ દ્વારા જ ગાય, વાદન, અભિનય, સમજૂતી દ્વારા રજૂ કરવામાં આવી હતી. અંતે કાર્યક્રમમાં ઉપસ્થિત એવા અતિથિઓનું માધ્યમિક વિભાગ વ્યવસ્થાપક ડો. વિજયભાઈ ગઢીયાએ આભાર દર્શન કર્યું હતું






Latest News