મોરબીના જુના બસ સ્ટેશન પાસે અપરણિત યુવાને ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત હળવદના દીઘડીયા ગામ પાસેથી 288 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક ઝડપાયો, 5.56 લાખના મુદ્દામાલ કબજે વિશ્વ શાંતિ માટે મોરબીમાં આગામી ગુરુવારે નવકાર મંત્ર જાપનું આયોજન મોરબી મહાપાલિકાની 52 બેઠકો સાથે કોંગ્રેસ 23 ઉમેદવાર જાહેર કર્યા: 29 મુરતિયાને શોધવા કાવયત મોરબીના કેસર બાગમાં પાણીના ટાંકા પાસે પડી ગયા બાદ વૃદ્ધનું મોત જોડિયાના દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી પકડાયો વાંકાનેર તાલુકામાં ગેરકાયદે બ્લાસ્ટ થાય તે પહેલા SOG ત્રાટકી: 475 જીલેટીંગ સ્ટીક સહિત 3.18 લાખના મુદામલ સાથે એક પકડાયો, 12 સામે ફરિયાદ મોરબીમાં વિદેશી દારૂની 4 રેડમાં 116 બોટલ દારૂ અને 68 બીયરના ટીન સાથે 5 આરોપી ઝડપાયા: 4 ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત


SHARE











મોરબીના લક્ષ્મીનગર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત

મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામની સીમમાં આવેલ વાડીએ કોઈ કારણોસર યુવાન ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને ઝેરી અસર થઈ હોવાથી પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નીપજયું છે જેથી આ બનાવની મૃતક યુવાનના દીકરાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્ય પ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના લક્ષ્મીનગર ગામની સીમમાં નરેશભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા બલરામ પુલસીંગ ચૌહાણ જાતે કોળી (૪૪) એ કોઈ કારણોસર વાડીએ હતા ત્યારે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખાતે લઈ ગયા હતા જોકે ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી આપઘાતના આ બનાવની મૃતક યુવનના દીકરા રાહુલભાઈ બલરામભાઈ ચૌહાણ (૨૨) રહે. લક્ષ્મીનગર ગામની સિમમાં નરેશભાઈ પટેલની વાડી વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બલવની નોંધ કરી યુવાને ક્યા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં તપાસ શરૂ કરી છે






Latest News